Gujarat

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

By GS Team
23 Jul 20251 min read
This article was originally published on 23 Jul 2025
TukuTouch Logo
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લઈને ગિરનાર રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. જ્યારે વાતાવરણ સાફ જણાશે ત્યારે ફરી ગિરનાર રોપ-વે સેવા શરુ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

Junagadh News : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લઈને ગિરનાર રોપ-વે  સેવા બંધ કરવામાં આવી છે. જ્યારે વાતાવરણ સાફ જણાશે ત્યારે ફરી ગિરનાર રોપ-વે સેવા શરુ કરાશે. 

ગિરનારમાં રોપ-વે સેવા બંધ

મળતી માહિતી મુજબ, જૂનાગઢના ગિરનાર ખાતે છેલ્લા ઘણા દિવસથી પવનની ગતિ વધી હોવાને લઈને ગિરનાર રોપ-વે હાલ પૂરતો બંધ કરાયો છે. રોપ-વે સંચાલકનું કહેવું છે કે, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરી છે, ત્યારે ઍડ્વાન્સમાં બુકિંગ કરાયેલા લોકોને મેસેજ કરીને આ મામલે જાણ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જ્યારે ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની સ્થિતિને લઈને તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે હાલ રોપ-વે સેવા અટકાવી છે. આમ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરુ કરવામાં આવશે.