Gujarat

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ

By GS TEAM
11 Feb 20262 mins read
TukuTouch Logo
રાજકોટ શહેરના ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ માતાજીના માંડવામાં ભૂવાઓની હાજરીમાં ધૂણી રહ્યા છે. સોમા ભાલિયાએ પોતાની પીઠ પર સાંકળો પર ઝીલી હતી, ઘણા લોકો આ વીડિયોને ભક્તિભાવ અને આસ્થા સાથે જોડી રહ્યા છે તો ઘણા લોકો અંધશ્રદ્ધાની રૂપે જોઈ રહ્યા છે. પણ કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ સોમા ભાલિયાના ધૂણતા વીડિયોએ હાલ ભાજપ કાર્યકરો અને લોકોમાં ચર્ચા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ

Rajkot News: રાજકોટ શહેરના ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ માતાજીના માંડવામાં ભૂવાઓની હાજરીમાં ધૂણી રહ્યા છે. સોમા ભાલિયાએ પોતાની પીઠ પર સાંકળો પર ઝીલી હતી, ઘણા લોકો આ વીડિયોને ભક્તિભાવ અને આસ્થા સાથે જોડી રહ્યા છે તો ઘણા લોકો અંધશ્રદ્ધાની રૂપે જોઈ રહ્યા છે. પણ કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ સોમા ભાલિયાના ધૂણતા વીડિયોએ હાલ ભાજપ કાર્યકરો અને લોકોમાં ચર્ચા જગાવી છે. 

વીડિયો જૂનો છે: સોમા ભાલિયા 

હાલ સોમા ભાલિયા વાઈરલ વીડિયો અંગે સ્પષ્ટ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. સવાલ પર કહ્યું કે જે વીડિયો વાઈરલ થયો છે તે જૂનો છે, તે મારી શ્રદ્ધા અને આસ્થા છે, કોઈ હિત શત્રુ દ્વારા હવે વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જો કે તેમણે જાહેર જીવનમાં આ કેટલું યોગ્ય તેનો જવાબ દેવાનું ટાળ્યું હતું. 


વિજ્ઞાન જાથાએ ઉઠાવ્યા સવાલ

બીજી તરફ શહેર ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલિયાના ધૂણતા વીડિયો પર વિજ્ઞાન જાથાએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે રાજકીય પક્ષો અને નેતાઓએ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવું વર્તન કરવું ન જોઈએ. ભૂવા-ભરાડી જેવી પ્રવૃત્તિઓ સમર્થન આપવું યોગ્ય નથી.

આ પણ વાંચો: ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ

સોમા ભાલિયા માતાજીના પરમ ભગત તરીકે પણ ઓળખ ધરાવે છે. ધાર્મિક ભાવના સાથે જોડાયેલા આ દૃશ્યોને લોકો બે રીતે જોઈ રહ્યા છે. આ પહેલા રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા હોય તેવા દ્રશ્યો વાઈરલ થયા હતા.