Get The App

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં ગોટાળા: વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ બંધ

Updated: Nov 19th, 2024

GS TEAM

Google News
Google News
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં ગોટાળા: વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ બંધ 1 - image


Vadodara PMJAY Scam : પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલોના ગોટાળા બહાર આવી રહ્યા છે એ સામે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગુજરાતની સાત હોસ્પિટલોની સામે તપાસ શરૂ કરતા ગેરરીતિ બહાર આવી છે. જેમાં વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં પણ ગેરરીતિ જણાઈ આવતા હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગમાં પ્રધાનમંત્રી આયુષ્યમાનની સેવા પર બ્રેક મારી ત્રણ મહિના સુધી ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

 ગુજરાતીની અમદાવાદથી તો આતી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં કેરરીતિ ઝડપાયા બાદ અનેક હોસ્પિટલોની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરા શહેરની કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો. 

તાજેતરમાં અમદાવાદની સ્વાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગેરરીતિ ઝડપાયા બાદ હવે ફરી એકવાર સરકાર દ્વારા તપાસ શરૂ થઈ છે. જેમાં ગુજરાતની સાત હોસ્પિટલમાં ગેરરીતિ બહાર આવી હોવાનું જાણવા મળે છે. જેમાં વડોદરાની માંજલપુર સ્થિત સમસાન ગ્લોબલ હોસ્પિટલ ના કેન્સરની ટ્રીટમેન્ટ કરતા ઓન્કોલોજી વિભાગની તપાસ કરતા ગેરરીતિ જણાઈ આવતા તાત્કાલિક અસરથી આ વિભાગને સામે કાર્યવાહી હાથ ધરી પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવા પર બ્રેક મારી ત્રણ મહિના માટે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવ્યું છે.

વધું વાંચો : સ્ટેન્ટ કાંડ બાદ ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ, ચાર તબીબો સામે પણ કાર્યવાહી: એક્શનમાં ગુજરાત સરકાર

Tags :