Get The App

વડોદરા બાદ અમદાવાદમાં પણ PM મોદીનો રોડ શૉ, લોકોએ તિરંગા સાથે કર્યું સ્વાગત

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા બાદ અમદાવાદમાં પણ PM મોદીનો રોડ શૉ, લોકોએ તિરંગા સાથે કર્યું સ્વાગત 1 - image


PM Modi Road Show In Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. PM મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે આજે 26 મેની રાત્રે વડાપ્રધાનનો 'રોડ શૉ' યોજાયો હતો. અમદાવાદના એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાનના 'રોડ શૉ' થયો જેમાં  મોટી સંખ્યામાં લોકો રોડ શૉમાં જોડાયા. લોકોએ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું.


 અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (26 મે) સવારે વડોદરામાં પણ રોડ શૉ કર્યો હતો. ત્યારબાદ દાહોદમાં રૂ. 23,292 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ ભુજ પહોંચ્યા હતા. ભુજમાં પણ વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી સભા સ્થળ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ યોજ્યો હતો. 


આ પણ વાંચો: પાકિસ્તાન ટેરરિઝમને જ ટુરિઝમ સમજે છે... ભુજમાં વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે PM મોદીનું નિવેદન

ભુજમાં વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત 

ભુજમાં વડાપ્રધાન મોદીએ રૂ. 53,414 કરોડના 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માણ તેમજ ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો: વડોદરામાં રોડ શૉ બાદ PM મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે 26 મેની સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. 23,292 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી. 

દાહોદમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી

વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ’2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે, કોઇ ખોટ રાખી નથી. તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું. દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.’

પ્રતિબંધિત માર્ગ

- અમદાવાદ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ થઈ ઈન્દીરાબ્રિજ સર્કલ થઈ મધર ડેરી થઈને એપોલો સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

- ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈને ઈન્દીરાબ્રિજ સર્કલ થઈને ભદ્રેશ્વર વાય જંકશન સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ

- ઈન્દીરા બ્રિજથી ગાંધીનગર તરફ જતો ટ્રાફિક નોબલનગર ટીથી રૂબ ટી, નાના ચિલોડા ચાર રસ્તા, એપોલો સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકશે. 

- ઈન્દીરા બ્રિજથી ડફનાળા જતા લોકો પરિવહન માટે નોબલનગર ટીથી રાજાવિર સર્કલ, નરોડા પાટીયા, મેમકો ચાર રસ્તા, રામેશ્વર ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.

- એપોલો સર્કલથી ઈન્દીરા બ્રિજ થઈને નરોડા તરફ જતા લોકો એપોલો વૈકલ્પિક રૂટ તરીકે એપોલો સર્કલથી કરાઈ ચાર રસ્તા, નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી નરોડા જઈ શકશે. 

- એપોલો સર્કલથી શાહીબાગ જનારા માટે એપોલો સર્કલથી તપોવન સર્કલ, વિસત સર્કલ, પ્રબોધરાવળ સર્કલ, સુભાષબ્રિજ સર્કલથી શાહીબાગ પહોંચી શકાશે.

- ડફનાળાથી ઈન્દીરા બ્રિજ સર્કલથી ગાંધીનગર જતાં લોકો વૈકલ્પિક રૂટ તરીકે ડફનાળા ચાર રસ્તાથી સુભાષબ્રિજ સર્કલ, પ્રબોધરાવલ સર્કલ, ચિમનભાઈ પટેલ બ્રિજ, વિસત સર્કલ, તપોવન સર્કલથી ગાંધીનગર પહોંચી શકશે. જ્યારે ડફનાળાથી ઈન્દીરા બ્રિજ સર્કલથી ગાંધીનગર જવાના અન્ય વૈકાલ્પિક રૂટમાં ડફનાળા ચાર રસ્તાથી ઘેવર સર્કલ, એફ.એસ.એલ. ચાર રસ્તા, રામેશ્વર ચાર રસ્તા, મેમકો ચાર રસ્તા, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા સુતરના કારખાના ચાર રસ્તાથી સીધા નાના ચિલોડા સર્કલ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે. 


Tags :