દાહોદ બાદ ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડની નોંધાઈ ફરિયાદ, 56 ગામોમાં રૂ. 7.30 કરોડનો ભ્રષ્ટાચાર
MANREGA Scam in Bharuch: ગુજરાતમાં મનરેગા યોજના કૌભાંડમાં દાહોદના મંત્રી બચુ ખાબડના બે પુત્રોએ કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવ્યું હતું. ત્યારબાદ પંચમહાલના જાંબુઘોડા અને ચોટીલા તાલુકાના પીપરાળીમાં મનરેગા યોજનામાં ગેરરિતી આચરી કૌભાંડ થયું હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે હવે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડ
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી છે. સરકારી એસઓપી અને ક્રાઇટ એરિયા મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે. વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડ: ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત, મંત્રીપુત્રની એજન્સીને રૂ. 250 કરોડ ચૂકવાયા
મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમજ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજે 7,30,00,000 કરોડોની નાણાકીય ગેરરિતિ આચરવામાં આવી છે.
જાંબુઘોડામાં મનરેગા કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ, 4 વર્ષમાં 293 કરોડનો ખર્ચ
દાહોદ જેવો જ ભ્રષ્ટાચાર હવે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયત છે અને ફક્ત 42,000 ની વસ્તી છે. જેમાં 2021-22માં 54 કરોડોનો ખર્ચ, 2022-23માં 128.99 કરોડ, 2023-24 69.88માં કરોડ, 2024-25 વર્ષમાં 40.38 કરોડ ખર્ચ થયો છે. જેમાં ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ ટ્રેડિંગ કંપની અને જય માતાજી સપ્લાયર્સ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં 71 કરોડનું મનરેગા કૌભાંડ, 35 એજન્સી સામે ગુનો દાખલ
દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થાય છે. આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે.