ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Udaipur Ahmedabad Vande Bharat: રાજસ્થાનના ઉદયપુરથી મુસાફરી કરતાં લોકો માટે રેલવે તરફથી એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે ઉદયપુરથી જયપુર અને ઉદયપુરથી આગ્રા કેન્ટ વચ્ચે દોડતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન 15 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ બંને રૂટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો અને મર્યાદિત સ્ટોપેજને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનો અઠવાડિયામાં માત્ર ત્રણ-ત્રણ દિવસ ચાલતી હતી, પરંતુ પૂરતો પ્રતિસાદ ન મળતાં હવે તેની સેવાઓ સમેટી લેવામાં આવી છે.
ઉદયપુર-અમદાવાદ વચ્ચે પ્રવાસીઓને સીધો ફાયદો
જોકે, ઉદયપુરના મુસાફરો માટે રેલવેએ એક રાહતના સમાચાર પણ આપ્યા છે. આ બંને ટ્રેનોના બદલે હવે ઉદયપુર અને અમદાવાદ(અસારવા) વચ્ચે એક નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવશે. આ નવી સેવાને કારણે ઉદયપુર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. રેલવે દ્વારા આ નવી ટ્રેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનાથી બંને પ્રવાસન શહેરો વચ્ચે મુસાફરી કરતાં લોકોને સીધો ફાયદો થશે.
આ પણ વાંચો: મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત
અઠવાડિયામાં 6 દિવસ સેવા
નવી વંદે ભારત ટ્રેનના ટાઇમટેબલ મુજબ, ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટીથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને જવાર, ડુંગરપુર તથા હિંમતનગર થઈને સવારે 10:25 વાગ્યે અસારવા(અમદાવાદ) પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 26964 અસારવા સ્ટેશનથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. આમ, રેલવેએ ઓછી માગવાળા રૂટ બંધ કરીને વધુ માગવાળા રૂટ પર નવી સેવાની ભેટ આપી છે.









