Gujarat

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં ચોરી, હવા પ્રદૂષણ માપવાનું યંત્ર પણ ઉઠાવી ગયા તસ્કરો

By GS TEAM
4 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે તસ્કરોએ નારણપુરા સ્થિત હવામાન વિભાગની કચેરીને નિશાન બનાવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા 'એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન'(AQMS)માં ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં ચોરી, હવા પ્રદૂષણ માપવાનું યંત્ર પણ ઉઠાવી ગયા તસ્કરો

Ahmedabad Theft: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે તસ્કરોએ નારણપુરા સ્થિત હવામાન વિભાગની કચેરીને નિશાન બનાવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા 'એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન'(AQMS)માં ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી

ચોરીની આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ગાંધીનગરના ખોરજ ગામના નિવાસી અને વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધીર વિશ્વકર્માએ સર્વરનો ડેટા ચેક કર્યો હતો. ડેટા બંધ હોવાથી શરુઆતમાં તેમને લાગ્યું કે પાવર કટ હશે, પરંતુ લાંબા સમય સુધી સિસ્ટમ શરુ ન થતાં તેમને શંકા ગઈ હતી. જ્યારે તેઓ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા ત્યારે સ્ટેશનની બારી તૂટેલી જોવા મળી હતી અને અંદરનો બધો જ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં

આ મોનિટરિંગ સ્ટેશન ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટીઓરોલૉજી’ અંતર્ગત કાર્યરત છે. ઘટનાની જાણ થતાં જ સુધીરભાઈએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

MGC મશીન શું છે અને તે શું કામ કરે છે?

ઉલ્લેખનીય છેકે, MGC મશીન હવામાનશાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાનમાં અત્યંત મહત્ત્વનું છે. તે હવામાં રહેલા અલગ-અલગ વાયુઓ(જેમ કે કાર્બન મોનોક્સાઇડ, મિથેન, અથવા અન્ય હાનિકારક વાયુઓ)ને છૂટા પાડીને તેનું પ્રમાણ માપે છે. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ફેરફાર પર નજર રાખવા માટે આ ટૅક્નોલૉજી વપરાય છે. આ મશીન ખૂબ જ સંવેદનશીલ હોય છે, જે હવામાં રહેલા અતિ સૂક્ષ્મ ફેરફારોને પણ પકડી શકે છે.