નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Nadiad Yard Railway Block: નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે જ્યારે એક ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ડિવિઝન હેઠળ આવતા વડોદરા–ગેરતપુર સેક્શનમાં નડિયાદ યાર્ડ ખાતે મહત્વપૂર્ણ ઇજનેરી કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજ નંબર 670 પર રોડ અંડર બ્રિજ (RUB)ના પુનર્નિર્માણ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. રિલીવિંગ ગર્ડર પદ્ધતિથી થઈ રહેલા આ કામને કારણે આજે અને આગામી દિવસોમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.
આજે કઈ ટ્રેનોના સમયમાં ફેરફાર?
આજે, 3 મે 2026ના રોજ અપ અને ડાઉન મેઇન લાઇન પર બ્લોક હોવાથી કેટલીક મુજબની ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડશે.
વડોદરા–જામનગર ઇન્ટરસિટી (22959): આ ટ્રેન આજે અંદાજે 25 મિનિટ મોડી દોડશે.
નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ (12656): ચેન્નાઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી આ ટ્રેન વડોદરા ડિવિઝનમાં અંદાજે 10 મિનિટ વિલંબથી દોડશે.
આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ
આગામી 6 મેના રોજ ટ્રેન રદ
ઇજનેરી કાર્યની ગંભીરતાને ધ્યાનમાં લેતા, આગામી 6 મે 2026 ના રોજ એક ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મણિનગર–વડોદરા ઇન્ટરસિટી (19036): આ ટ્રેન 6 મેના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન આ બદલાયેલા સમયપત્રક મુજબ કરે જેથી કોઈ અગવડતા ન પડે.








