અમદાવાદમાં ચંડોળા કિનારે બેરલ માર્કેટમાં ભીષણ આગ રોડ સુધી ફેલાઈ, રસ્તો બંધ કરવો પડ્યો
Ahmedabad Fire: અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, હાલ આ મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ પણ વાંચોઃ 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં હાલોલમાં જળબંબાકાર, મહિલાનું તણાઈ જતાં મોત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (25 જૂન) સવારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર નજીક આવેલા બેરલ માર્કેટમાં આગ લાગી હતી. આ આગ એટલી વિશાળ હતી તે રોડ સુધી ફેલાઈ ગઈ હતી અને સુરક્ષાના ધોરણે રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ વિશે માહિતી મળતા જ ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પાચ ફાયર ફાઇટરની ટીમે અને AFES (અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસી) ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ, આ વિશે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ પણ વાંચોઃ પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી
આગનું કારણ અકબંધ
આ વિશે માહિતી આપતા ફાયર અધિકારીએ જણાવ્યું કે, 'અમને બેરલ માર્કેટમાં આગ લાગવાની ચેતવણી આપતો ફોન આવ્યો હતો અને તાત્કાલિક પાંચ ફાયરની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અમારી ટીમે આગ પર કાબુ મેળવવા માટે કાર્યક્ષમ રીતે કામ કર્યું હતું. જોકે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આગ બજારમાં સંગ્રહ કરવામાં આવેલી સામગ્રીના કારણે લાગી હોય શકે છે. જોકે, આ વિશે ચોક્કસ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નથી થઈ.'