Gujarat

રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના રામકૃષ્ણ સ્વામી (રામસ્વામી) કોઈ મહિલા સાથે હોટલમાં જોવા મળ્યની ઘટના સામે આવતા મંદિર દ્વારા નબળો બચાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં તે બે દિવસ પહેલા જ સાધુ જીવન ત્યાગીને ગૃહસ્થ થવા માટે ગયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, સૂત્રોના જણાવ્યાનુસાર, કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આ કથિત સાધુ અગાઉ પણ નિયમ વિરૂદ્ઘ રાતના સમયે બહાર જતો હતો. જે બાબતને લઇને આચાર્ય સુધી ફરિયાદ પણ થઈ ચુકી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ

Ahmedabad News: કાલુપુર સ્વામીનારાયણ મંદિરના રામકૃષ્ણ સ્વામી (રામસ્વામી) કોઈ મહિલા સાથે હોટલમાં જોવા મળ્યની ઘટના સામે આવતા મંદિર દ્વારા નબળો બચાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં તે બે દિવસ પહેલા જ સાધુ જીવન ત્યાગીને ગૃહસ્થ થવા માટે ગયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, સૂત્રોના જણાવ્યાનુસાર, કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આ કથિત સાધુ અગાઉ પણ નિયમ વિરૂદ્ઘ રાતના સમયે બહાર જતો હતો. જે બાબતને લઇને આચાર્ય સુધી ફરિયાદ પણ થઈ ચુકી હતી. 

રામકૃષ્ણદાસ સાધુનો પેન્ટ અને ટી શર્ટમાં વીડિયો વાઈરલ થયો હતો

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના તાબામાં આવતા કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણદાસ સાધુનો પેન્ટ અને ટી શર્ટમાં વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત કોઈ મહિલા સાથે હોટલમાં ગયાનો આરોપ થતા કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આચાર્ય અને સંતો બચાવમાં આવીને બહાના બતાવતા થયા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રામકૃષ્ણદાસ તેના ગુરૂ પી. પી. સ્વામી અને આચાર્યની પરવાનગીથી 23મી ફેબ્રુરઆરીથી સાધુ વેશ ત્યાગીને સંસારમાં પરત ગયા હતા. 

આ પણ વાંચો: ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું

સૂત્રોના જણાવ્યાનુસાર, રામકૃષ્ણદાસ સાધુ અને મંદિરના આચાર્ય તેમના કેટલાંક સંતો વચ્ચે આંતરિક વિખવાદ ચાલતો હતો. રામકૃષ્ણદાસ સંતોને પાળવાના નિયમોનું સતત ઉલ્લંઘન કરતો હતો. જેમાં સ્ત્રી મર્યાદા જાળવવા માટેના સંતોના નિયમ મહત્ત્વના છે. પરંતુ રામકૃષ્ણદાસ ઘણીવાર પરંપરા તોડતો હતો. સાથેસાથે સંતો માટે અનેક મર્યાદાઓ છે. તેમ છતાંય, તે આ અગાઉ પણ રાતના સમયે મંદિર કે ગુરૂકુળની કોઈ અંગત કારણસર જતો હતો. જે અંગે કાલુપુર સ્વામીનારાયણ મંગિરના પૂર્વ આચાર્ય તેજેન્દ્ર પ્રસાદથી માંડીને અનેક સંતો સુધી આ વાત પહોંચી હતી. જ્યારે સાધુ રામકૃષ્ણના સૌથી નજીકના ગણાતા પી.પી. સ્વામીએ તેને ઠપકો પણ આપ્યો હતો. 

હાલ કાલુપુર મંદિરના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ અને ભાવી આચાર્ય લાલજી મહારાજ મંદિરના આ વિવાદને શાંત પાડવા અને કેટલાંક દઢ હરિભક્તોમાં વ્યાપક રોષને ઠાલવવા માટે સંતો સાથે સતત મિટીંગ કરી રહ્યા છે. 

ભાવી આચાર્ય લાલજી મહારાજ પણ વિવાદમાં આવ્યા હતા

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ભાવી આચાર્ય અને કૌશલેન્દ્રપ્રસાદના પુત્ર વર્ષો પહેલા વિવાદમાં આવ્યા હતા. જેમાં તેમની એક યુવતી સાથે ચેટ અને વાંધાનજક ફોટોગ્રાફ્‌સ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને લઇને વકરેલો વિવાદમાં માંડ માંડ શાંત થયો હતો.