Gujarat

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ

By GS TEAM
31 Oct 20251 min read
TukuTouch Logo
ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ

Girnar News: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, આ યુવક ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો હતો ત્યારે આ દુઃખદ દુર્ઘટના બની હતી. મૃતક યુવક સીડીના પગથિયાનો ઉપયોગ કરવાને બદલે પર્વતના ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો. આ જોખમી પ્રયાસ દરમિયાન, તે અંદાજે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમ તાત્કાલિક ગિરનાર પર્વત પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરશે.