Get The App

જામનગરના રાજવી જામ સાહેબના બહેન મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના રાજવી જામ સાહેબના બહેન મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન 1 - image


Jamsaheb Sister Mukund Kumari Passed Away: જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું દુઃખદ અવસાન નિપજ્યું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિપાઠવી શોક વ્યક્ત કર્યો છે, આ સાથે જ ઈશ્વર તેમની આત્મના શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે. 

જામનગરના રાજવી જામ સાહેબના બહેન મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન 2 - image

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને પીવા અને સિંચાઇ માટે મળશે નર્મદાનું પાણી, સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળી

જામસાહેબે બહેનને શ્રદ્ધાંજલિપાઠવતા કહ્યું કે, 'હું ખૂબ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન મુકુંદ કુમારીનું વિલાયત (યુ.કે)માં દુઃખદ અવસાન થયું છે અને તેઓ સ્વર્ગવાસ થયા છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રભાવશાળી અને અત્યંત બહાદુર વ્યક્તિત્વ હતા, જેના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવતો હતો. આપણા કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરૂ છું.'


Tags :