Get The App

અમદાવાદમાં રથયાત્રા પહેલાં 11 જૂને નીકળશે જળયાત્રા, વર્ષમાં એકવાર ગજવેશમાં જોવા મળશે ભગવાન

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં રથયાત્રા પહેલાં 11 જૂને નીકળશે જળયાત્રા, વર્ષમાં એકવાર ગજવેશમાં જોવા મળશે ભગવાન 1 - image


Jagannath Jalyatra In Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.  સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી 11 જૂનના રોજ નીકાળવામાં આવશે.

11 જૂને જળયાત્રા યોજાશે

અમદાવાદમાં મિની રથયાત્રા તરીકે યોજાતી જળયાત્રા આગામી 11 જૂનની સવારે 8 વાગ્યે હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરની પાછળથી સાબરમતી નદીના ભુદર ખાતે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં રથયાત્રા પહેલાં 11 જૂને નીકળશે જળયાત્રા, વર્ષમાં એકવાર ગજવેશમાં જોવા મળશે ભગવાન 2 - image

આ પણ વાંચો: 2 દિવસ પછી વર્ષની સૌથી મોટી એકાદશી, આ દિવસે તુલસી સંબંધિત 5 ભૂલ કરતા બચશો

સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં 108 કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. જ્યારે ભગવાનનો ભવ્ય જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરવામાં આવશે. અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે જશે.

Tags :