2 દિવસ પછી વર્ષની સૌથી મોટી એકાદશી, આ દિવસે તુલસી સંબંધિત 5 ભૂલ કરતાં બચશો
Nirjala Ekadashi 2025: વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને તેમાં નિર્જલા એકાદશીને સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવી છે. હિન્દુ ધર્મમાં તેનું ખાસ મહત્ત્વ છે. આ વખતે નિર્જલા એકાદશી 6 જૂનના રોજ છે. આ દિવસે તુલસી સબંધિત ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય છે. પરંતુ તુલસી સાથે સબંધિત આ 5 ભૂલો ક્યારેય ન કરવી.
1. માતા લક્ષ્મી તુલસીના છોડમાં વાસ કરે છે અને એકાદશીના દિવસે માતા લક્ષ્મી નિર્જલા વ્રત રાખે છે. તેથી આ દિવસે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ.
2. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. જો તમે તુલસી પાનનો ઉપયોગ કરવા માગો છો તો તેને એક દિવસ પહેલા જ તોડીને રાખવા.
3. તુલસીના પાન ક્યારેય નખ કે ઝટકાથી ન તોડવા જોઈએ. પહેલા તુલસીને પ્રણામ કરવું અને પછી હળવા હાથે તેના પાન તોડવા.
4. તુલસીને ગંદા કે એઠાં હાથથી સ્પર્શ ન કરવો. એકાદશી પર આ એક ભૂલના કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડી શકે છે.
5. નિર્જલા એકાદશી પર તુલસીની આસપાસ ગંદકી બિલકુલ ન રાખવી. તુલસીની નજીક જૂતા-ચપ્પલ, એઠાં વાસણ કે કચરો ન રાખવો.
આ પણ વાંચો: VIDEO : માઉન્ટ એટના પર અચાનક જ્વાળામુખી ફાટતાં અફરાતફરી, લોકોએ જીવ બચાવવા દોટ મૂકી
ઉપાય
નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીના માળા અર્પણ કરવી. આ દરમિયાન ભગવાન વિષ્ણુનો મંત્ર 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:'નો જાપ કરવો.