જામનગર: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા, પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેનાજ પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
| મૃતક અને તેનો પિતરાઈ ભાઈ-આરોપી |
હત્યારા પિતરાઈ ભાઈની ધરપકડ
મળતી માહિતી મુજબ, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા (ઉં.વ.28)ને 10 ડિસેમ્બરની સવારે દિગ્વિજય પ્લોટ શેરી નં. 49ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી 4 જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી.
આ પણ વાંચો: જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા
મૃતક યુવાન પોતાના એક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, આ દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો. જેથી મૃતક યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ઉઠાવી ગયો હતો, અને પોતાના ઘરમાં રાખી હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીએ મોકાનો લાભ લઈને હત્યા નીપજાવી હતી.
સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા જગદીશભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી દિલીપ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યામાં વપરાયેલી છરી અને આરોપીનું સ્કૂટર વગેરે કબજે કર્યું છે અને વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









