Gujarat

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ

By GS TEAM
28 Mar 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં પૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે હવે ગંભીર અને નાટકીય વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે આરોપી ધ્રુવલ દેસાઈએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની અને પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ધા નાખી ન્યાયની ગુહાર લગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ

Rajkot Teacher-Student Case: રાજકોટમાં પૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે હવે ગંભીર અને નાટકીય વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે ધ્રુવલ દેસાઈએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની અને પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ધા નાખી ન્યાયની ગુહાર લગાવી છે.

વીડિયો વાઈરલ કરી આપઘાત પગલું

દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ ધ્રુવલ દેસાઈ છેલ્લા બે દિવસથી લાપતા હતો. આજે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી હતી અને ત્યારબાદ વારાણસીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલમાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું અને તે ત્યાંની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

પત્નીના ગંભીર વળતા આક્ષેપો

ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈએ દાવો કર્યો છેકે, શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. શિક્ષિકા પરિણીત અને ડિવોર્સી છે તથા તેને 17 વર્ષનો દીકરો છે, તેમ છતાં તેણે લગ્નના ખોટા વાયદાના આક્ષેપો કર્યા છે. શિક્ષિકાને અગાઉ ઓનલાઇન માધ્યમથી 4.40 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પરિવારની વિગતો વાઈરલ કરીને માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે ધ્રુવલે આ પગલું ભર્યું છે.

ન્યાયની માંગણી અને પોલીસ તપાસ

સાક્ષી દેસાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે, તેમના પક્ષના પુરાવાઓ પણ તપાસમાં ધ્યાને લેવામાં આવે. પરિવારે આક્ષેપ કર્યો છે કે તેઓ સમાધાન કરવા અને પોલીસની હાજરીમાં વાત કરવા તૈયાર હતા, પરંતુ સામે પક્ષે માત્ર ફરિયાદ નોંધાવવામાં જ રસ દાખવ્યો હતો.

રાજકોટ પોલીસે પરિવારની આ રજૂઆતને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ દુષ્કર્મના ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ આરોપીના આપઘાતના પ્રયાસ અને પરિવારના નાણાકીય લેતીદેતીના આક્ષેપોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે.