યુદ્ધને લીધે કન્ટેનર દીઠ 'વૉર રિસ્ક સરચાર્જ' લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI IMAGE |
Ahmedabad News : ઈરાન અમેરિકા - ઇઝરાયલ યુદ્ધને લીધે એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓ અને ફ્રેઈટ કંપનીઓ સંકટમાં આવી ગઈ છે. યુદ્ધ વધુ ભીષણ બન્યું છે ત્યારે વોર રિસ્ક સરચાર્જનું ગ્રહણ લાગ્યું છે. જેના લીધે શિપિંગ કંપનીઓએ કન્ટેનરો પર સરચાર્જનો વધારો લાદી દેવાયો છે. 20 ફૂટના કન્ટેનર પર 2 હજાર ડોલર જ્યારે 40 ફૂટના પર 4 હજાર ડોલરનો વધારો થોપી દેવાયો છે. નવાઈની વાત તો એ છે કે, યુદ્ધ શરૂ થાય પહેલા નીકળેલા જહાજો પર વોર રિસ્ક સરચાર્જ લાદી દેવાયો છે. એક અંદાજ મુજબ, ગુજરાતના 12 હજાર કન્ટેનર વોર કન્ટિજન્સી રિકવરીમાં અટવાઈ પડ્યા છે.
ગુજરાતનાં 12 હજાર કન્ટેનર ફસાયા
ગુજરાતના 12 હજાર કન્ટેનર વોર કન્ટિજન્સી રિકવરીમાં અટવાયાં, 20 અને 40 ફૂટના કન્ટેનર દીઠ 4 હજાર ડોલરનો વધારો થયો છે. મશીનરી, ગાર્મેન્ટ, ખાદ્ય સામગ્રી સહિત અન્ય ચીજવસ્તુઓનો પશ્ચિમ એશિયાના દેશો જોડે એક્સપોર્ટનો વેપાર થઈ રહ્યો છે. જેમાં યુ.એ.ઈ, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, કતાર અને ઈરાક જેવા દેશોનો સમાવેશ થાય છે. એક ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વકરતા 2000 થી 4000 ડોલર વોર કન્ટિજન્સી રિકવરી નાખી દેવામાં આવી છે ત્યાં રિજિયોનલ કન્ટેનર લાઈન્સ દ્વારા શિપમેન્ટના જનરલ રેટ વધારી દેવાયા છે. 300-350 ડોલરમાં કન્ટેનર દુબઈ પહોંચતાં હતાં ત્યાં 2 હજારથી માંડીને 4 હજાર સુધીનો વધારો કરાયો છે.
આ પણ વાંચો : ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ
એક્સપોર્ટમા કરોડો રૂપિયાનું નુકસાન
યુદ્ધની કટોકટીના સમયમાં કન્ટેનરના ભાવવધારાને લીધે એક્સપોર્ટર્સને કરોડો રૂપિયાનું નુકશાન થવાનું છે. જે જહાજો હાલ દરિયા વચ્ચે છે તેના પર પણ વોર રિસ્ક સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. જેના બુકિંગ થઈ ગયા હોય તેને પણ આ નિયમ લાગુ પડશે. ગુજરાતમાં 6 થી 7 જેટલા જહાજોમાં 12 હજારથી વધુ કન્ટેનરો છે જેના લીધે એક્સપોર્ટરોને રૂ. 250 કરોડથી રૂ. 500 કરોડની વોર રિસ્ક સર્જન્સી ભરપાઈ કરવી પડશે. જો એક્સપોર્ટરો દ્વારા તે નહીં ભરપાઈ થાય તો તે ફ્રેઈટ કંપનીઓ એટલે કસ્ટમ હાઉસ એજન્ટોના માથે આવશે.
શિપિંગ કંપનીઓ કોઇ જોખમ માટે તૈયાર નથી
શિપિંગ કંપનીઓ કોઈ વધુ જોખમ ઉઠાવવા તૈયાર નથી ત્યારે એસ એમ માહી નામનું જહાજ 2677 કન્ટેનરો લઈ દુબઈ જેબેલ અલી પોર્ટ ઉપર જવાનું હતું તેના સ્થાને કન્ટેનરો જેદ્દાહ પોર્ટ ઉપર ઉતારી દેવાયા છે. હવે આ કન્ટેનરો મુંદ્રા પોર્ટ પર ક્યારે પરત આવશે તે મુદ્દે એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓને ચિંતામાં છે. આ ઉપરાંત ઝોન્ગ ગુ નાંગ નામનું જહાજ 4600 કન્ટેનરો લઈને મુંદ્રા થી જવાહરલાલ નેહરુ પોર્ટ નવી મુંબઈ પહોંચ્યું છે. હજુ તો દરિયામાં પહોંચ્યું નથી છતાં ત્યાં વોર રિસ્ક સરચાર્જ લાદી દેવાયો છે. ભારતના આશરે 40 થી વધુ જહાજોમાં 80 હજારથી વધુ કન્ટેનરો અટવાયેલા હશે તેવો અંદાજ પ્રવર્તી રહ્યો છે. એસ.એમ.માહી જહાજે 2677 કન્ટેનરો દુબઈ પોર્ટને બદલે જીદાહ પોર્ટ પર ઉતારી દીધાં, એક્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે.








