Gujarat

સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
કુપોષણના નામે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે, તેમ છતાંય બાળ મૃત્યુદરને ઓછો કરવામાં સફળતા મળી શકી નથી. કેરળ, કાશ્મીર સહિત અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શિશુ મૃત્યુ દર વધુ રહ્યો છે. એક હજાર બાળક દીઠ પાંચ વર્ષથી ઓછી વયના 23 નવજાત મોતને ભેટી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ

AI Image



Gujarat Child Mortality: કુપોષણના નામે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે, તેમ છતાંય બાળ મૃત્યુદરને ઓછો કરવામાં સફળતા મળી શકી નથી. કેરળ, કાશ્મીર સહિત અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શિશુ મૃત્યુ દર વધુ રહ્યો છે. એક હજાર બાળક દીઠ પાંચ વર્ષથી ઓછી વયના 23 નવજાત મોતને ભેટી રહ્યા છે.

આ પણ વાંચોઃ દ્વારકાધીશના દર્શન માટે જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના દર્દનાક મોત

કુપોષણમુક્ત ગુજરાત બનાવવા કરોડોનું આંધણ

ગુજરાતમાં શિશુ મૃત્યુ અટકાવવા માટે બાળ સખા યોજના, જનની સુરક્ષા અભિયાન સહિત ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત કુપોષણમુક્ત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર લાખો કરોડોનું આંધણ કરી રહી છે. દર વર્ષે બજેટમાં ખાસ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી રહી છે. સગર્ભા માતાઓ સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ છતાંય હજારો નવજાત આજે પણ હૉસ્પિટલના બિછાને આખરી શ્વાસ લઈ રહ્યા છે.

રાજ્યશિશુ મૃત્યુ દર
ગુજરાત23 ટકા
કેરળ8 ટકા
તમિલનાડુ13 ટકા
હિમાચલ17 ટકા
કાશ્મીર15 ટકા
પ.બંગાળ18 ટકા
આંધ્રપ્રદેશ21 ટકા
કર્ણાટક17 ટકા


રાજ્યમાં બાળ મૃત્યુ દર 15 ટકા

ગુજરાતમાં આજે પણ બાળ મૃત્યુ દર 15 ટકા રહ્યો છે, જ્યારે દિલ્હીમાં 9 ટકા, કેરળમાં 4 ટકા, પશ્ચિમ બંગાળમાં 13 ટકા, તામિલનાડુમાં 9 ટકા, પંજાબમાં 12 ટકા અને કર્ણાટકમાં શિશુ મૃત્યુદર 11 ટકા રહ્યો છે. અન્ય રાજ્યો શિશુ મૃત્યુદર પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા છે જ્યારે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં ગુજરાતને આ મામલે સફળતા સાંપડી નથી.

આ પણ વાંચોઃ થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ

અન્ય રાજ્યોની સ્થિતિ

પાંચ વર્ષ કરતાં ઓછી વયના બાળકોના મૃત્યુ દરમાં ગુજરાતનું પ્રદર્શન ખરાબ છે. ગુજરાતમાં દર હજાર બાળકોએ 23 નવજાત મોતને ભેટી રહ્યા છે, જ્યારે કેરળમાં હજાર દીઠ 8, કાશ્મીરમાં 15, ૫.બંગાળમાં 18, કર્ણાટકમાં 17, મહારાષ્ટ્રમાં 16 અને તામિલનાડુમાં 13 શિશુ મૃત્યુ પામે છે. 

સરકારી યોજનાઓ નિષ્ફળ?

ગુજરાતમાં સરકારી યોજનાઓ છેવાડા સુધી પહોંચી છે. એટલું જ નહીં, કુપોષણ નાબુદ કરવા લાખો કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ખર્ચાઈ રહ્યા છે પણ સામે છેડે વળતર મળતું નથી. સરકારી યોજનાઓ જાણે બિનઅસરકારક બની રહી છે. સરકારી યોજનાઓ માત્રને માત્ર મળતિયાઓને લાભ પૂરતી બની રહી છે જેથી ધાર્યું પરિણામ મળતું નથી.