Gujarat

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના એમસીક્યુ આધારિત પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી રદ કરવામાં આવ્યા છે અને ચાર માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ

GSEB Class 12 Science Answer Key Out: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના એમસીક્યુ આધારિત પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી રદ કરવામાં આવ્યા છે અને ચાર માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.

ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ભૂલ બદલ મળશે સમાન ગુણ

ગુજરાત શિક્ષણ બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા હોય કે ગુજકેટ પરીક્ષા દર વર્ષે એકથી બે જેટલા પ્રશ્નો ખોટા હોવાના લીધે ગ્રેસિંગ આપવું પડે છે એટલે કે પ્રશ્ન રદ કરીને તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણ આપવા પડે છે. આ વર્ષે લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીમાં પૂછવામાં આવેલા 50 માર્કના એમસીક્યુ પ્રશ્નોમાંથી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કેટલાક પ્રશ્નો ખોટા હોવાનું એક્સપર્ટના ધ્યાને આવ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આ પ્રશ્નો રદ કરીને સમાન ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે.


આ પણ વાંચો: સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ

આન્સર કી સામે 4 એપ્રિલ સુધી ઓનલાઇન રજૂઆત

ગુજરાત બોર્ડ દ્વારા આજે આ ચારેય વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જે મુજબ કેમેસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નોમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને બે માર્ક અને ગુજરાતી તેમજ હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને એક માર્ક સમાન પણે આપવામાં આવશે. ફિઝિક્સમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં બે પ્રશ્ન ખોટા હોવાથી બે માર્ક અને ગુજરાતી માધ્યમમાં ત્રણ પ્રશ્નો ખોટા હોવાથી તમામ વિધાર્થીઓને ત્રણ માર્ક સમાનપણે પ્રદાન કરવામાં આવેશે. પ્રોવિઝનલ આન્સર કી સામે કોઇપણ વિધાર્થીને વાંધા રજૂઆત કરવાની હોય તો ચોથી એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં પ્રશ્ન દીઠ 500 રૂપિયા ફી કરવાની રહેશે. જો વિધાર્થીઓની રજૂઆત સાચી થશે તો આ ફી પરત કરવામાં આવશે.