Get The App

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ 1 - image


Mahisagar Crime: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલી ઐતિહાસિક દરિયાઈ પીર દરગાહને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરો દરગાહ પરથી આશરે 400 ગ્રામ વજનનો અને ₹15.30 લાખની કિંમતનો સોનાનો કળશ ચોરી ગયા છે. આ ઘટના ઈદના દિવસે જ પ્રકાશમાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ 2 - image

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ દરગાહના સંચાલકોએ તાત્કાલિક વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સ્થળોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા, 24 કલાકથી નથી મળી ભાળ

અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા અમદાવાદના સરખેજ રોઝા ખાતે પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ તસ્કરોએ સોનાનો કળશ ચોર્યો હતો, પરંતુ પોલીસની સક્રિયતાને કારણે આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને ચોરીનો મુદ્દામાલ પણ પાછો મળ્યો હતો. વીરપુર પોલીસે પણ આ ગુનાનો ઉકેલ લાવવા માટે ટેકનિકલ અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને તપાસ ચલાવી રહી છે. આશા છે કે, પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે.

Tags :