સુરતના માંગરોળની કંપનીમાં ગેસ ગળતર: ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકના મોત
Gas leak incident in Surat : ગુજરાતમાં ગેસ ગળતરની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતના માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરના કારણે બે મજૂરોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ટાંકી સાફ કરવા ઉતર્યા હતા, ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટાંકી સાફ કરતી વખતે ગેસ ગળતર થતાં બે કામદારોના મોત
પોલીસે જણાવ્યું હતું કે, 'અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને બે કામદારોના મોત નીપજ્યા હોવાની જાણ થઈ હતી. જેમાં યુપી અને બિહારના બે કામદારુનું જેરી દવાની અસરથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને બે મંગલમુર્તિ બાયોટેક કંપનીની સ્થળ તપાસ માટે આવ્યા છીએ.'
આ પણ વાંચો: 9 મહિનાનું બાળક ગળી ગયો રમકડાના મોબાઈલનો LED બલ્બ, અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો
વધુ સારવાર મળે તે પહેલા શ્રમિકોના મોત
સુરતના માંગરોળના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં રાજન શર્મા અને રાજન સિંગ નામના બે કામદારોને ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા.
બંને મૃતક કામદારો છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. ગેસ ગળતરની ઘટનાને લઈને કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.