Get The App

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા 1 - image


Ahmedabad Air India Plane Crash News: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન ટેક ઑફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ઍરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.

આંખના પલકારામાં સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ટેક ઑફ કરી હતી. ટેક ઑફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું.

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા 2 - image

હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાના પગલે ઍરપોર્ટ પર ઉડાન વ્યવસ્થા પર અસર પડી છે અને તપાસ શરુ કરવામાં આવી છે.



આ પણ વાંચો: અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના, બે પાઇલોટ સહિત 25થી વધુ મુસાફરોની મૃતદેહ મળી આવ્યા

સિવિલ હૉસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?

પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હૉસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે. 

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા 3 - image



Tags :