Gujarat

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી

By GS TEAM
5 Dec 20252 mins read
TukuTouch Logo
ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ મામલે કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખતાં આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ કરાશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા(SP) પ્રેમસુખ ડેલુને મંજૂરી માંગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી

Gondal Rajkumar Jat Case : ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ મામલે કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખતાં આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ કરાશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા(SP) પ્રેમસુખ ડેલુને મંજૂરી માંગી હતી. 

ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ કરાશે

મળતી માહિતી મુજબ, રાજકુમાર જાટ કેસ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. 

શું હતી ઘટના? 

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.'


આ પણ વાંચો: VIDEO: સુભાષ બ્રિજ પર લાંબા બ્રેકનો ખતરો! આખા બ્રિજની બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય

આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરુ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.