Get The App

ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, નોંધણી શરૂ, જાણો કેટલો મળશે ભાવ

Updated: Mar 11th, 2025

GS TEAM


Google News
Google News
ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, નોંધણી શરૂ, જાણો કેટલો મળશે ભાવ 1 - image


Farmers News: કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. તેના માટે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ નજીકના કેન્દ્ર પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી શકશે.

ખેડૂતોને દરેક પાકના પોષણક્ષણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ-ભારતીય કપાસ નિગમ લી. (CCI) દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેર

ભારત સરકારે કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ, 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમયમર્યાદામાં અરજી કરી હશે, તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 

આ પણ વાંચો: ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોનું મહા આંદોલન, 15 ઉમેદવારોને પકડવા 6 પોલીસ ઇન્સ્પેક્ટર, LCB અને પોલીસ કાફલો

74 ખરીદ કેન્દ્રો ખાતે કપાસની ખરીદી થશે

ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદરપુર, બાવળા, બોડેલી, ચાણસ્મા, ડભોઇ, દહેગામ, ધંધુકા, ધોળકા, હાંડોદ, હારીજ, હિંમતનગર, ઈડર, જાદર, કલેડીયા, કપડવંજ, કરજણ, કોસિન્દ્રા, કુકરમુંડા, માણસા, નસવાડી, નિઝર, પાલેજ, પાવીજેતપુર, સમલાયા, સાઠંબા, તલોદ, વડાલી, વાલિયા, વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

તેવી જ રીતે, રાજકોટ ઝોનના ખેડૂતો માટે અમરેલી, બાબરા, બગસરા, રાજુલા, સાવરકુંડલા, દામનગર, ટીંબી, ખાંભા, ગારીયાધાર, મહુવા, પાલીતાણા, ઉમરાળા, તળાજા, બોટાદ, ઢસા, રાણપુર, ગઢડા, ભાણવડ, ઉના, ધ્રોલ, જામ-જોધપુર, જામનગર, કાલાવડ, માણાવદર, અંજાર, ભુજ, માંડવી, હળવદ, મોરબી, વાંકાનેર, પોરબંદર, ધોરાજી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, જેતપુર, કોટડા-સાંગાણી, રાજકોટ, ઉપલેટા, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ અને લખતર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની ચેતવણી

ખેડૂતો આ નંબર પર કરી શકશે ફરિયાદ

આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર +91 7718955728 જાહેર કર્યો છે. ખેડૂતો આ નંબર પર મેસેજ મોકલીની સમસ્યા અથવા ફરિયાદ નોંધાવી શકે છે.

Tags :