Get The App

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની ફરિયાદ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની ફરિયાદ 1 - image

Jamnagar : જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા એક દંપત્તિ સાથે તેના પાડોશમાં જ રહેતા એસ.આર.પી. ગ્રુપ ચેલાના એક જવાને પાણીનો ટાંકો તોડી નાખવાના પ્રશ્ને તકરાર કરી હતી, જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

દરિયા ગામમાં રહેતી વાલીબેન અશોકભાઈ ચૌહાણ નામની 40 વર્ષની મહિલાએ પોતાના પાડોશમાં રહેતા ભરતભાઈ ડનૈયા સામે પોતાને તેમજ પોતાના પતિ બંનેને ગાળો આપી ધાક ધમકી આપવા અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીના ઘરની બહાર પાણીનો ટાંકો બનાવ્યો હતો, જે તોડી નાખ્યો હતો. જેના પ્રશ્નો બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું, જેથી મામલો પોલીસમાં લઈ જવાયો હતો.