Gujarat

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની ફરિયાદ

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા એક દંપત્તિ સાથે તેના પાડોશમાં જ રહેતા એસ.આર.પી. ગ્રુપ ચેલાના એક જવાને પાણીનો ટાંકો તોડી નાખવાના પ્રશ્ને તકરાર કરી હતી, જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની ફરિયાદ

Jamnagar : જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા એક દંપત્તિ સાથે તેના પાડોશમાં જ રહેતા એસ.આર.પી. ગ્રુપ ચેલાના એક જવાને પાણીનો ટાંકો તોડી નાખવાના પ્રશ્ને તકરાર કરી હતી, જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

દરિયા ગામમાં રહેતી વાલીબેન અશોકભાઈ ચૌહાણ નામની 40 વર્ષની મહિલાએ પોતાના પાડોશમાં રહેતા ભરતભાઈ ડનૈયા સામે પોતાને તેમજ પોતાના પતિ બંનેને ગાળો આપી ધાક ધમકી આપવા અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીના ઘરની બહાર પાણીનો ટાંકો બનાવ્યો હતો, જે તોડી નાખ્યો હતો. જેના પ્રશ્નો બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું, જેથી મામલો પોલીસમાં લઈ જવાયો હતો.