રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય
Devbhumi Dwarka News : ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતી હોય છે. આ દરમિયાન આગામી 6 એપ્રિલ, 2025ના રોજ 'રામ નવમી ઉત્સવ'ને લઈને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર
દેવભૂમિ દ્વારકા ખાતે 6 એપ્રિલ, 2025ના રવિવારના રોજ રામ નવમીના દિવસે દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાનના દર્શનનો સમય બદલાયો છે. જેમાં રામ નવમીના દિવસે સવારે 6:30 વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે. જ્યારે સવારના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ 9 વાગ્યાથી 10:30 વાગ્યામાં શ્રૃંગાર દર્શન થશે. આ દરમિયાન 10 વાગ્યે શ્રૃંગાર આરતી થશે. આ પછી 10:30 વાગ્યાથી બપોરના 12 સુધી દર્શન બંધ રહેશે.
જ્યારે બપોરે 12 વાગ્યે ઉત્સવ આરતી થશે. જેમાં ઉત્સવ દર્શન બપોરના 12 વાગ્યથી 01:30 વાગ્યા સુધી કરી શકાશે. આ પછી બપોરે 01:30 વાગ્યાથી 05:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજના સમયે નિત્યક્રમ મુજબ મંદિરના દર્શન કરી શકાશે.