Gujarat

રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત

By GS TEAM
15 Feb 20261 min read
TukuTouch Logo
રાજકોટના જેતપુરમાં આજે(15 ફેબ્રુઆરી) જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ગંભીર કાર અકસ્માતના બનાવમાં યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે બે ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત

Car Accident In Jetpur, Rajkot : રાજકોટના જેતપુરમાં આજે(15 ફેબ્રુઆરી) જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ગંભીર કાર અકસ્માતના બનાવમાં યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે બે ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગંભીર અકસ્માતમાં 2ના મોત

મળતી માહિતી મુજબ, મહા શિવરાત્રિ પર જૂનાગઢમાં ભવ્ય મેળો યોજાયો છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યાં છે. તેવામાં જૂનાગઢના મહા શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલા યુવક-યુવતીની કારનો જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર અકસ્માત થયો હતો. જેમાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના બે યુવક-યુવતીનું કરૂણ મોત થયું હતું. જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકો ગંભીર રીત ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર કાર પુલ પર ડિવાઈડર સાથે એટલી ભયાનક રીતે ટકરાઈ હતી કે કારના બે ટુકડા જ થઈ ગયા હતા. 

આ પણ વાંચો: અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરીતોનો હુમલો

ગમખ્વાર અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.