વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ, પ્રભાવિત 8 ટ્રેનો નિર્ધારિત સમયે દોડશે
Vadodara News : પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે 8 જૂન 2025 સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. આમ બ્લોકને કારણે આ રૂટ પરની 8 ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.
રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 8 મેથી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. જેમાં ટેકનિકલ કારણોસર 8 જૂન રવિવારના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. જેથી 8 જૂનના રોજ પ્રભાવિત ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.
આ પ્રભાવિત ટ્રેનો હવે તેના સમયે દોડશે
- મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 19036
- વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 19035
- જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 22960
- વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 12930
- જોધપુર-દાદર એક્સપ્રેસ, ટ્રેન નં. 14807
- અજમેર-મૈસુર એક્સપ્રેસ, ટ્રેન નં. 16209
- ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નં. 20902
- ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, ટ્રેન નં. 20626