Get The App

વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આપી માહિતી

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આપી માહિતી 1 - image


Vijay Rupani Death in Ahmedabad plane crash : અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ દેશભરને હચમચાવી દીધો છે. આ ગોઝારી ઘટનામાં લગભગ 200થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, જેની સત્તાવાર પુષ્ટિ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ કરી

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમદાવાદમાં થયેલી મોટી વિમાન દુર્ઘટનાએ દેશભરને હચમચાવી દીધો છે. યુકે જનારા પ્લેનમાં તમામ લોકોને હાનિ પહોંચી છે. એમનો કોઈને કોઈ મોકો પણ ન મળ્યો અને શહેરની વચ્ચે ઘટના સર્જાઈ તો આપણે કાંઈ ન કરી શક્યા, જેનું ઘણું દુઃખ છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવાજનોની આપત્તિજનક સ્થિતિમાં શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. આ પ્લેનમાં અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, જેઓ તેમના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. તેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ભાજપ પરિવારમાં બહુ મોટી ખોટ આવી છે."


આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ | LIVE: તમામ 242 મુસાફરોના મોત, હોસ્ટેલમાં રહેતા લોકોએ પણ જીવ ગુમાવ્યા

રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા જ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, "વિજયભાઈ રૂપાણી, જેમની સાથે ગુજરાત વિધાનસભામાં એક સાથી તરીકે કામ કર્યું હતું. તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર દુર્ભાગ્યપૂર્ણ છે. અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખૂબ વ્યથિત છું."

વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આપી માહિતી 2 - image

શંકર સિંહ વાઘેલાએ વ્યક્ત કર્યું દુ:ખ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ આજે અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળતાની સાથે જ તેમણે પોતાનો પ્રવાસ તાત્કાલિક રોકી અમદાવાદ માટે રવાના થઈ ગયા હતા. તેમણે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાની માહિતી જાણીને દુઃખ થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ ઘડીએ હિંમત આપે."


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

અમદાવાદથી લંડન જઈ રહેલા આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થતો હતો. દેશભરમાં પ્લેનમાં સવાર લોકોની સુરક્ષાને લઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.


Tags :