આણંદ જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ કામે લાગી
રસાયણ ભરેલા ટેન્કરથી નુકસાન ના થાય માટે જીપીસીબીના અધિકારીઓ બોલાવાયા
બીજી તરફ વહેલી સવારથી જ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ વહેલી સવારે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ રાતભર પડાવ નાખ્યો હતો. વહેલી સવારે એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. રસાયણ ભરેલા ટેન્કરથી કોઈ નુકસાન ના થાય એ બાબતને અગ્રતા આપવા સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે વડોદરા કલેકટરે પણ સૂચના આપી દીધી છે.


