Gujarat

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટૂંકી મુદ્દત માટે ટોલ વસૂલાશે નહી

By GS TEAM
15 Jul 20251 min read
TukuTouch Logo
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટરના સ્ટ્રેચ પર આજથી (મંગળવાર, 15 જુલાઈ 2025) ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનચાલકોને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટૂંકી મુદ્દત માટે ટોલ વસૂલાશે નહી

Amritsar-Jamnagar Expressway : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટરના સ્ટ્રેચ પર આજથી (15 જુલાઈ 2025) ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનચાલકોને રાહત મળશે.

ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે. 

આ પણ વાંચો: ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ

રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે.  ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું આયોજન છે.