Get The App

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા 1 - image


Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આજે ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમ (બળેવ) ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે ખારવા સમાજની બહેનો અને ભાઈઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવનું પૂજન કરીને સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી.

દરિયાદેવની પૂજા અને પ્રાર્થના

આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ખારવા સમાજની બહેનોએ દૂધના બેડાં સાથે દરિયાકિનારે પહોંચીને દરિયાદેવનો અભિષેક કર્યો હતો. બહેનોએ ખાસ કરીને પોતાના પિતા, ભાઈ અને પતિ સહિત જે લોકો દરિયામાં માછીમારી કરવા જાય છે, તેમની સલામતી અને રક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરી હતી. આ પૂજાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારા માછીમારીના દિવસોમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અકસ્માત ન થાય અને સૌ સુરક્ષિત રીતે પરત ફરે.

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા 2 - image

આ પણ વાંચો: વર્ષમાં 8 મહિનામાં જળમગ્ન રહે છે આ શિવાલય, પાંડવ નિર્મિત મંદિર નીચે સ્વર્ગના પગથિયાં હોવાની માન્યતા



માછીમારીની મોસમનો પ્રારંભ

આ પૂજન બાદ હવે ખારવા સમાજના લોકો માછીમારી માટે દરિયામાં જવાની શરૂઆત કરશે. દરિયાદેવના આશીર્વાદ સાથે તમામ બોટ માછીમારી માટે રવાના થશે. આ પ્રસંગે ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, આ તહેવાર આપણા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે દરિયાદેવને પ્રાર્થના કરીએ છીએ કે સૌ માછીમારો સુરક્ષિત રહે અને તેમને સારી માછીમારી મળે.

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા 3 - image

આ પૂજામાં મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ તહેવાર ખારવા સમાજની દરિયા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.


Tags :