Get The App

વર્ષમાં 8 મહિનામાં જળમગ્ન રહે છે આ શિવાલય, પાંડવ નિર્મિત મંદિર નીચે સ્વર્ગના પગથિયાં હોવાની માન્યતા

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
વર્ષમાં 8 મહિનામાં જળમગ્ન રહે છે આ શિવાલય, પાંડવ નિર્મિત મંદિર નીચે સ્વર્ગના પગથિયાં હોવાની માન્યતા 1 - image
Image Social Media 

Pandava Temple history: આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ છે અને હવે મહાદેવના પ્રિય એવા શ્રાવણ મહિનાના 15 દિવસ જ બાકી છે. જેમ દેવાધિદેવ મહાદેવની લીલા અદ્ભુત છે, તેમ તેમના મંદિરો પણ અદ્ભુત છે. ઘણા શિવ મંદિરો માત્ર આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ રહસ્ય અને પુરાતત્વની દ્રષ્ટિએ પણ અદ્ભુત છે. આવું જ એક મંદિર હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 278 કિમી અને ધર્મશાળાથી 64 કિમી દૂર આવેલું છે. જે અનેક રહસ્યોથી ભરેલું છે. 

આ પણ વાંચો: રક્ષાબંધન 2025: રાખડી બાંધતા પહેલા ખાસ જાણી લો સંપૂર્ણ વિધિ, દિશા-તિલકનું છે ખાસ મહત્ત્વ

રહસ્યમય આ શિવ મંદિર વર્ષના આઠ મહિના પાણીમાં ડૂબેલું રહે છે

હિમાચલ પ્રદેશમાં આવું જ એક રહસ્ય અને સુંદરતાથી ભરપુર મંદિર આવેલું છે, આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે, જેનું નામ બાથુ કી લાડી મંદિર છે. આ રહસ્યમય શિવ મંદિર વર્ષના આઠ મહિના પાણીમાં ડૂબેલું રહે છે અને ભક્તો માત્ર ચાર મહિના એટલે કે માર્ચથી જૂન સુધી આ મંદિરમાં દર્શન કરી શકે છે. આ મંદિરને હિમાચલનું અમૂલ્ય રત્ન માનવામાં આવે છે.

મંદિરો 'બાથુ' નામના મજબૂત પથ્થરથી બનેલા છે,

બાથુ કી લાડી મંદિર મહારાણા પ્રતાપ સાગર (પોંગ ડેમ તળાવ) ની વચ્ચે આવેલું છે. આ મંદિર સમૂહમાં આઠ મંદિરો છે, જેમાંથી મુખ્ય મંદિર ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. મંદિરો 'બાથુ' નામના મજબૂત પથ્થરથી બનેલા છે, જે લાંબા સમય સુધી પાણીમાં ડૂબી ગયા પછી પણ સુરક્ષિત છે. મંદિરની દિવાલો પર માતા કાલી, ભગવાન ગણેશ અને શેષનાગ પર બિરાજમાન ભગવાન વિષ્ણુની મૂર્તિઓ કોતરેલી છે.

આ મંદિરો પાંડવોએ તેમના વનવાસ દરમિયાન બનાવ્યું હતું

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ મંદિરો પાંડવોએ તેમના વનવાસ દરમિયાન બનાવ્યું હતું. દંતકથા એવી છે કે પાંડવોએ અહીં સ્વર્ગ તરફ જતી સીડીઓ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ કાર્ય અધૂરું રહ્યું. આજે પણ મંદિર સંકુલમાં 40 સીડીઓ છે, જેને 'સ્વર્ગની સીડી' કહેવામાં આવે છે.

માર્ચથી જૂન દરમિયાન જ્યારે તળાવના પાણીનું લેવલ ઘટે છે

દર વર્ષે માર્ચથી જૂન દરમિયાન જ્યારે તળાવના પાણીનું લેવલ ઘટે છે, ત્યારે મંદિર પાણીમાંથી બહાર આવે છે. આ દરમિયાન ભક્તો અને પ્રવાસીઓ હોડી અથવા રોડ દ્વારા અહીં પહોંચે છે. મંદિરનો સૌથી ઊંચો ટાવર, જે પાણીમાં ડૂબી ગયા પછી પણ આંશિક રીતે દેખાય છે, ભક્તોને આકર્ષે છે. આ ટાવરની ટોચ પર ચઢવા માટે સીડીઓ છે, જ્યાંથી પોંગ તળાવ અને આસપાસની લીલી ટેકરીઓનો મનોહર દૃશ્ય દેખાય છે.

ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ એક અનોખું સ્થળ

બાથુ કી લાડી મંદિર માત્ર શિવ ભક્તો માટે જ નહીં, પરંતુ ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ એક અનોખું સ્થળ છે. તે આધ્યાત્મિક અને પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓ માટે પણ ખૂબ જ ખાસ છે. કારણ કે 200 થી વધુ પ્રજાતિઓ સ્થળાંતર કરનારા પક્ષીઓ પોંગ ડેમ વિસ્તારમાં આવે છે.

આ પણ વાંચો: આવીતકાલે રાહુ-ચંદ્રની યુતિના સંકેત, 3 રાશિના જાતકોએ સાવચેત રહેવાની તાંતી જરૂર!

મંદિરની રચના નાગર શૈલીમાં છે, જે હિમાચલની પ્રાચીન સ્થાપત્યનો નમૂનો છે

મંદિરની રહસ્યમય રચના અને તેની ઐતિહાસિકતા તેને વિશેષ બનાવે છે. એવું કેહવાય છે કે, આ છઠ્ઠી સદીમાં ગુલેરિયા સામ્રાજ્યના શાસક દ્વારા બનાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય લોકો તેને મહાભારત કાળ સાથે જોડે છે. મંદિરની રચના નાગર શૈલીમાં છે, જે હિમાચલની પ્રાચીન સ્થાપત્યનો નમૂનો છે. આશ્ચર્યજનક છે કે, આ હજારો વર્ષ જૂનું મંદિર આજે પણ પાણીના દબાણને સહન કરીને મજબૂત રીતે ઊભું છે.

Tags :