Get The App

અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું 1 - image

Amreli Crime: અમેરેલીના સાવરકુંડલાના મઢડામાં આધેડની હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આરોપીની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરાશે. 

આ પણ વાંચોઃ સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક

શું હતી ઘટના? 

સાવરકુંડલાના મઢડામાં આધેડ જીલુ વાઘોશી નામના વ્યક્તિની સગા ભત્રીજાએ કુહાડી અને લાકડી વડે હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આધેડના મૃતદેહને બાજુમાં પાણી ભરેલા ખાડામાં નાંખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આધેડ વારંવાર તેના ભત્રીજાને જમીન વેચી નાંખવાની ધમકી આપી મનફાવે તેવું વર્તન કરતો હતો. જેનાથી કંટાળીને આક્રોશમાં આવી ભત્રીજા ઘોહાભાઈ વાઘોશીએ તેમની ક્રૂરતાથી હત્યા કરી નાંખી હતી. 

આ પણ વાંચોઃ ગણેશ મંડપમાં બોલાતું 'ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ'નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા સહિત અનેક દેશોમાં ગણેશોત્સવ ઉજવતા ભારતીયો

પોલીસ આ મામલે આરોપીની તપાસ કરી હતી ત્યારે, અમરેલી એલ.સી.બીએ તેને પકડી પાડી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે. પોલીસે આ મામલે તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કોઈ અન્ય આરોપીની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.