Amreli Crime: અમેરેલીના સાવરકુંડલાના મઢડામાં આધેડની હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આરોપીની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચોઃ સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક
શું હતી ઘટના?
સાવરકુંડલાના મઢડામાં આધેડ જીલુ વાઘોશી નામના વ્યક્તિની સગા ભત્રીજાએ કુહાડી અને લાકડી વડે હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આધેડના મૃતદેહને બાજુમાં પાણી ભરેલા ખાડામાં નાંખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આધેડ વારંવાર તેના ભત્રીજાને જમીન વેચી નાંખવાની ધમકી આપી મનફાવે તેવું વર્તન કરતો હતો. જેનાથી કંટાળીને આક્રોશમાં આવી ભત્રીજા ઘોહાભાઈ વાઘોશીએ તેમની ક્રૂરતાથી હત્યા કરી નાંખી હતી.
પોલીસ આ મામલે આરોપીની તપાસ કરી હતી ત્યારે, અમરેલી એલ.સી.બીએ તેને પકડી પાડી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે. પોલીસે આ મામલે તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કોઈ અન્ય આરોપીની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


