નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ, આ 32 મુદ્દાઓનું કરવું પડશે પાલન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના આયોજકો માટે ફાયર સેફ્ટી અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો અનુસાર, કોઈપણ આયોજકે નવરાત્રિનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. આ નિર્ણય લોકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.
નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ
નવી માર્ગદર્શિકા મુજબ, આયોજકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ, ઇવેન્ટ શરુ થવાના ત્રણ દિવસ પહેલાં તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવી પડશે. આ પ્રક્રિયાનું પાલન ન કરનાર આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.
AMC દ્વારા જાહેર કરવામાં આવેલી SOPમાં કેટલીક મહત્ત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે:
ઇમરજન્સી એક્ઝિટ: આયોજન સ્થળે ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ (બહાર નીકળવાના રસ્તા) રાખવા ફરજિયાત છે.
સંકલિત મંજૂરી: આયોજકોએ માત્ર ફાયર સેફ્ટી જ નહીં, પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને AMCના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.
આ પગલાં અમદાવાદ જેવા મોટા શહેરમાં જ્યાં લાખો લોકો નવરાત્રિના આયોજનોમાં ભાગ લે છે, ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યંત જરૂરી છે. આયોજકોએ આ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.
AMC દ્વારા જાહેર કરાયેલી ફાયર સેફ્ટી SOPની વિગતો:


આયોજકોને આ જાહેર નોટિસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર સલામતીને પ્રાથમિકતા આપે અને તમામ નિયમોનું પાલન કરે, જેથી નવરાત્રિનો તહેવાર સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકાય.









