Gujarat

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત

By GS TEAM
24 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સાસરિયાના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 26 વર્ષીય પરિણીતાએ પોતાના ત્રણ વર્ષના બાળક સાથે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. મહિલાએ પોતાના 3 વર્ષના બાળક સાથે ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેના પરિણામે માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત

Ahmedabad Crime: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સાસરિયાના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 26 વર્ષીય પરિણીતાએ પોતાના ત્રણ વર્ષના બાળક સાથે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. મહિલાએ પોતાના 3 વર્ષના બાળક સાથે ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેના પરિણામે માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદના બોડકદેવમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને 26 વર્ષીય માતાએ પોતાના 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપધાત કર્યો હતો. રેલ્વે સત્તાધીશોએ ટ્રેક પરથી બે મૃતદેહો મળી આવ્યાની જાણ પોલીસને કરી હતી, ત્યાર બાદ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મહિલા બાળકને પોતાની સાથે લઈ ગઈ હતી અને જાણી જોઈને ટ્રેન સામે કૂદીને આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં પરિવાર દ્વારા ક્રૂરતાના આક્ષેપો સામે આવ્યા છે. 

આ પણ વાંચોઃ વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પડી

સાસરિયા સામે ગંભીર આરોપ

હાલ, પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યા છે. બોડકદેવ પોલીસે મૃતક મહિલાના પતિ હસમુખ મકવાણા, સસરા કાનુભાઈ મકવાણા અને સાસુ શારદાબહેન મકવાણા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ખાતરી આપી છે કે, તપાસ દરમિયાન જે પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.