Get The App

અમદાવાદમાં રથયાત્રાની ત્રણ રસપ્રદ વાત: ગાર્ડ ઓફ ઓનર, AIનો ઉપયોગ અને દિલીપદાસજીને નવી પદવી

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં રથયાત્રાની ત્રણ રસપ્રદ વાત: ગાર્ડ ઓફ ઓનર, AIનો ઉપયોગ અને દિલીપદાસજીને નવી પદવી 1 - image


Jagannath Rath Yatra 2025: આજે 27 જૂન, 2025 એટલે અષાઢી બીજના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ તમામ ભક્તો લાઈનોમાં ગોઠવાઈ જાય છે. અમદાવાદમાં આ વખતે 148મી રથયાત્રા દરમિયાન 3 એવી ઘટનાઓ બની છે, જે આજ સુધી ક્યારે પણ બની નથી.

આ પણ વાંચો: જ્યારે હાથીએ સૂંઢથી પોલીસની વાન ફેંકી દેતા કરફ્યૂમાં પણ નીકળી હતી રથયાત્રા, જાણો રસપ્રદ કિસ્સો

1. પહેલીવાર ધાર્મિક યાત્રામાં AIનો ઉપયોગ 

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન કોઈ વિધ્ન ન આવે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ તેમજ અન્ય પેરામીલેટરી ફોર્સ સહિત કુલ 2400 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે સૌપ્રથમવાર AI ટેકનોલોજી બેઝ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવા તેમજ ફાયર એલર્ટનો ઉપયોગ કર્યો હતો. આ સાથે 5 હજારથી વધુ બોડીવોર્ન, ડ્રોન, જીપીએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

2.પહેલીવાર ભગવાન જગન્નાથને 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું

બીજી એક ઐતિહાસિક ઘટના એ બની કે, ઈતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર્સ આપવામાં આવ્યું હતું. જે આજે વહેલી સવારે પહિંદ વિધિ પહેલા ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા ક્યારેય ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ભગવાનને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું નથી. 

આ પણ વાંચો: આવતીકાલે રાહુના નક્ષત્રમાં ચાલ બદલશે ગુરુ, 3 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ

3. મહંત દિલીપદાસજીને અપાઈ નવી પદવી

તો મહત્ત્વની ઘટના આ 148મી રથયાત્રાએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ઉચ્ચ પદવી આપવામાં આવી હતી. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની ઉચ્ચ પદવી આપવામાં આવી છે. દિલીપદાસજી મહામંડલેશ્વરમાંથી હવે જગદગુરુ બન્યા છે. તેઓ હવે જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામથી ઓળખાશે. 1008 મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજા હતા. આ પાવન પ્રસંગે દેશભરના સાધુ-સંતોએ આ પદવીમાં હાજરી આપી હતી.

Tags :