Get The App

ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 1 - image


Plane Crash In Ahmedabad : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને દુર્ઘટનાનો શિકાર બન્યા. આજે રાજકોટ ખાતે તેમની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઇ. તેમની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

આ દુર્ઘટનામાં 241 વિમાન મુસાફરો સહિત કુલ 278 લોકોના દુખદ નિધન થયા હતાં. ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો,  ત્યારબાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન દ્વારા સિવિલથી રાજકોટ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતાં.

તમામ મહત્ત્વની અપડેટ્સઃ

અંતિમ સંસ્કાર સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા 


રાજકોટમાં અંતિમ સંસ્કાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. 

પૂર્વ સીએમ વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી હતી. 


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા શરૂ થઈ છે. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોકમાં લોકો ઉમટી પડ્યા હતા. અંતિમયાત્રા નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન પહોંચશે. અંતિમયાત્રામાં 'વિજયભાઈ અમર રહો...' 'ભારત માતા કી જય...'ના નારા ગુંજી ઊઠ્યાં. 

અંતિમ યાત્રાનો રૂટ:

ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 2 - image

વિજય રૂપાણીને સલામી અપાઈ, રાજકીય સન્માન સાથે થશે અંતિમવિધિ: 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી.  


વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યો છે. નિવાસ સ્થાને તેમના અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી છે. લોકોએ 'વિજયભાઈ અમર રહો' જેવા વિવિધ સુત્રોચ્ચાર કરી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા છે. તેઓ અંતિમ યાત્રામાં જોડાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ હાજર છે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં આજે ચાર વાગ્યા સુધીમાં કુલ 114 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. વધુ મૃતકોની ઓળખ ચાલુ છે.

 વિજય રૂપાણીના નિવાસ સ્થાને પણ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતનાં સાંસદો, ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. 

વિજય રૂપાણીનો પાર્થિવ દેહ એરપોર્ટ પર નિવાસ સ્થાને લઈ જતાં સમયે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ફૂલ વરસાવી પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપી હતી. પાર્થિવ દેહ શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પહોંચ્યો ત્યાં પણ મોટી સંખ્યામાં પણ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો માટે વિશાળની ડોમની વ્યવસ્થા

અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો હાજર

વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટની ગ્રીન ચોકડી પહોંચ્યો છે, જ્યાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે લોકો દર્શન માટે આવી પહોંચ્યા છે. 

વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટથી વિમાન દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ પર લવાયો હતો. હવે તેને સન્માન સાથે તેમના નિવાસે લઈ જવામાં આવી રહ્યો છે. 

64 મૃતદેહ સોંપવામાં આવ્યા

અમદાવાદ દુર્ઘટનામાં 99 મૃતકોના DNA મેચ થયા છે. જેમાંથી 94 લોકોને DNA અંગે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અત્યાર સુધી 64 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. દિવસે દિવસે DNA મેચિંગમાં વધારો થશે. ઘણા પરિવારો 72 કલાકથી રાહ જુએ છે. DNAના સચોટ પરિણામ આવતા વાર લાગે છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મુખ્યમંત્રીની બેઠક, અધિકારીઓને આપ્યા નિર્દેશ 

ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 3 - image


ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 4 - image

આજે સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025(સોમવાર)ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 5 - image
પત્ની અંજલિ રૂપાણીએ આપી અંતિમ વિદાય

વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા

વિજય રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, રાધિકા રૂપાણી, નીતિન ભારદ્વાજ અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હૉસ્પિટલ પહોંચી ગયા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર અને ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ ઍરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવાશે. અમદાવાદ ઍરપોર્ટ ખાતે ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે સોંપવામાં આવશે

- 17 જૂને રાજકોટના રેસકોર્સ ખાતે બપોરે 3થી 6 વચ્ચે પ્રાર્થના સભાનું આયોજન 

- 19 જૂને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9થી 12 વાગ્યે પ્રાર્થનાસભા યોજાશે

- 20 જૂને ભાજપ કાર્યાલય ખાતે સાંજે 4થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરાશે. 

રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું: ઋષભ રૂપાણી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'આ દુઃખની ઘડીમાં અમારા રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં, પરંતુ 278 પરિવારો માટે અત્યંત દુઃખદ સમય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ આત્માઓને મોક્ષ મળે.'

રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, "'હું તમામ આરોગ્ય સ્ટાફ, સિવિલ ડિફેન્સ, પોલીસ દળ અને RSS કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સમયમાં જે રાહત અને બચાવ કાર્ય થયા છે, તે ખરેખર પ્રશંસનીય છે.'

આ ઉપરાંત, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સહયોગ આપનાર તમામ લોકોનો આભાર માનતાં જણાવ્યું કે, 'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ લોકોનો તેમના સમર્થન બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.'

રાજકોટમાં રૂપાણીના નિવાસ સ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ સાથે પુરષોત્તમ રૂપાલા ફરી એકવાર પૂર્વ સીએમ રૂપાણીના પરિજનોને સાંત્વના આપતા ગાંધીનગરમાં આવેલા તેમના બંગ્લે પહોંચ્યા હતા. 

અંતિમ યાત્રાનો મુખ્ય રૂટ બંધ રહેશે

DCP ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલે કહ્યું 'રાજકોટમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નિકળશે. તેના માટે રાજ્યભરમાંથી તમામ વીઆઇપીનું આગમન થશે. જે મુખ્ય રૂટ પરથી અંતિમ યાત્રા નિકળવાની તેને થોડા કલાકો માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ-અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું, રહસ્ય ખુલશે


જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 6 - image
ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 7 - image
ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ 8 - imageગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. રવિવારે (15 જૂન) સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઈ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.  

92 મૃતદેહોના DNA મેચ થયા, 47 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા

સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપી હતી કે, "એર ઇન્ડિયા દુર્ઘટનામાં સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહો પૈકી 92 મૃતદેહોનું DNA મેચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક મૃતદેહોમાં પુનરાવર્તન હોવાને કારણે વાસ્તવિક વ્યક્તિઓની સંખ્યા 87 છે. અત્યાર સુધીમાં 47 મૃતદેહો અહીંથી તેમના સંબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા છે." આ માહિતી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અને રાહત કાર્ય સાથે સંકળાયેલા અધિકારીઓ માટે મહત્ત્વપૂર્ણ છે.

Tags :