Gujarat

957 કરોડનો ધુમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા

By GS TEAM
17 Nov 20252 mins read
TukuTouch Logo
દેશમાં વાયુ પ્રદૂષણ હજારો લોકોનો ભોગ લઈ રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણ એટલી હદે વકરી રહ્યું છે કે, અસ્થમા સહિત અન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ તરફ, રૂ. 900 કરોડથી વધુનો ખર્ચ કરાયા પછી પણ ગુજરાતમાં હવા શુદ્ધ થઈ શકી નથી. નિષ્ણાતોએ ભીતિ વ્યક્ત કરી છે કે, જો આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં પણ દિલ્હીવાળી થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

957 કરોડનો ધુમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા

Gujarat Air Pollution: દેશમાં વાયુ પ્રદૂષણ હજારો લોકોનો ભોગ લઈ રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણ એટલી હદે વકરી રહ્યું છે કે, અસ્થમા સહિત અન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ તરફ, રૂ. 900 કરોડથી વધુનો ખર્ચ કરાયા પછી પણ ગુજરાતમાં હવા શુદ્ધ થઈ શકી નથી. નિષ્ણાતોએ ભીતિ વ્યક્ત કરી છે કે, જો આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં પણ દિલ્હીવાળી થઈ શકે છે.

અમદાવાદની હવા ઝેરી: PM 2.5 જોખમી સ્તરે

અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. પીએમ 2.5 એટલે હવામાં ઉડતા અત્યંત બારીક રજકણો જે શ્વાસ લેતાં જ ફેફસામાં પહોંચી જાય છે. આ ઝેરી રજકણો ટીબી, શ્વસન સહિત હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. છેલ્લાં કેટલાય દિવસોથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ના આંકડાને વટાવી રહ્યો છે, પરિણામે હવાની ગુણવત્તા એકદમ નિમ્ન સ્તરે પહોંચી જાય છે. તબીબોની સલાહ છેકે, આવી સ્થિતિમાં લોકોએ ઘરની બહાર ન નીકળવું એ જ હિતાવહ છે.

શિયાળામાં અમદાવાદની હવાની ગુણવત્તા નિમ્ન સ્તરે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવાની ગુણવત્તા પર પણ નજર રાખે છે. થોડાક વખત અગાઉ અમદાવાદ શહેરમાં હવાની ગુણવતા જાણી શકાય તે માટે સ્ક્રીન બોર્ડ લગાવાયા હતા પણ હવે તે પણ દેખાતા નથી. શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે ત્યારે વહેલી સવારે તો એટલુ ધુમ્મસ હોય કે, વાહન ચલાવવું જ નહીં, મોર્નિંગ વોક કરવું મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત મોડી સાંજે પણ હવાની ગુણવત્તા બગડી જાય છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ

રૂ. 957 કરોડના ધુમાડા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ

ઉદ્યોગો-કારખાના, વાહનોના ઘુમાડાને લીધે હવાની ગુણવત્તા પર અસર થાય છે. કેન્દ્ર સરકારે વાયુ પ્રદૂષણ અટકાવવા માટે વર્ષ 2019-20થી માંડીને વર્ષ 2025-26 સુધીમાં કુલ મળીને રૂ.1282 કરોડ ફાળવ્યા હતા. ગુજરાત સરકારે વાયુ પ્રદૂષણને નાથવા માટે અત્યાર સુધી રૂ. 957 કરોડનો ધુમાડો પણ કર્યો છતાંય હવાને શુદ્ધ કરવામાં સફળતા સાંપડી નથી. મહત્ત્વની વાત તો એ કે, ગુજરાતમાં ય દિલ્હી જેવી સ્થિતિ નિર્માણ થઈ છે તેમ છતાંય વાયુ પ્રદૂષણ માટે સરકારે ઝાઝું ધ્યાન આપ્યું નહીં. સાથે સાથે રૂ. 325 કરોડ વપરાયા વિના જ પડી રહ્યા છે.

જોકે, સરકારે દાવો કર્યો છેકે, નેશનલ ક્લિન એર પ્રોગ્રામ હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોની હવાની ગુણવત્તા સુધરી છે.