Gujarat

બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત, ઈકો અને ટ્રક વચ્ચે ટક્કર

By GS TEAM
31 Jan 20261 min read
TukuTouch Logo
બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઈકો કારમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો સવાર હતા, જેઓ કુંડળી ગામે જઈ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત, ઈકો અને ટ્રક વચ્ચે ટક્કર

Accident On Ranpur-Dhandhuka Road : બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઈકો કારમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો સવાર હતા, જેઓ કુંડળી ગામે જઈ રહ્યા હતા.

રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

મળતી માહિતી મુજબ, રાણપુર-ધંધુકા રોડ ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈકો કારમાં સવાર મૂળ મધ્યપ્રદેશના પનાલા ગામના શ્રમિકો રાણપુરના કુંડળી ગામે મજૂરી અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન કિનારા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે ટક્કર થઈ હતી. 

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ

અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે રાણપુર પોલીસ અને મામલતદાર સહિતના કાફલો સ્થળ પર દોડી પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.