Surendranagar News : સુરેન્દ્રનગરના પાટડી-જૈનાબાદ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આજે (13 સપ્ટેમ્બર) બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણી-જૈનાબાદ રોડ પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર
મળતી માહિતી મુજબ, પાટણી-જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં જૈનાબાદથી આવતી ટ્રક સામે અન્ય ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી.
પાટડી-જૈનાબાદ પર અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


