વિદ્યાર્થીઓ-શ્રદ્ધાળુઓ
જીવના જોખમે પસાર થવા મજબૂર
બ્રિજનું
નવીનીકરણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટનાની ભીતિ
ધ્રાંગધ્રા
- ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક
આવેલો રાજાશાહી જમાનાનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ
બ્રિજ શહેરની એકમાત્ર કોલેજ તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ સેંકડો
વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થાય છે.
આ
ઉપરાંત, આ
જ માર્ગ પર પ્રસિદ્ધ મેલડી માતાજીનું મંદિર આવેલું હોવાથી દર્શનાર્થે આવતા હજારો
ભક્તો માટે પણ આ બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યો છે. બ્રિજની કથળતી હાલતને જોતા ગમે
ત્યારે મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યભરમાં જૂના અને જોખમી
પુલોનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે ધ્રાંગધ્રાના આ
વ્યસ્ત પુલ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે અનેક સવાલો ઉભા થયા છે. વર્ષોથી બ્રિજ
જર્જરિત હોવા છતાં રિપેર કરવામાં આવ્યો નથી એટલું જ નહીં સુરક્ષાના ભાગરૃપે પણ તેને બંધ કરવામાં આવ્યો
નથી.
સ્થાનિકોનો
આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો
સમય રહેતા આ બ્રિજનું નવું નિર્માણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો મોટી દુર્ઘટનાની ભીતિ
સેવાઈ રહી છે.


