મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત અમદાવાદમાં પ્લાન્ટેશન માટે 69 કરોડનુ ટેન્ડર મંજૂર કરાતા વિવાદ
Ahmedabad News: અમદાવાદમાં પાંચ જૂનથી મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 40 લાખ રોપાં-વૃક્ષ વાવવાનો આરંભ કરવામાં આવશે. જેના માટે રિક્રિએશન કમિટીએ 69 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરતા વિવાદ સર્જાયો છે. 5.25 લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવા માટે ટેન્ડરની શરતોમાં બાંધછોડ કરાઈ હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. શહેરમાં કયાં-કયાં વૃક્ષારોપણ કરવામા આવશે તેનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો નથી.
માર્ચ મહિનામાં ટેન્ડર કરાયા
પાંચ જૂનથી મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત રોપાં અને વૃક્ષ વાવવા માટે બગીચા ખાતા દ્વારા માર્ચ મહિનામાં ટેન્ડર કરાયા હતા, જેની રકમ 3.7 કરોડ રૂપિયા રાખવામા આવી હતી. જેમાં 25 હજાર સ્કેવર મીટર જગ્યામાં એક લાખ વૃક્ષ વાવવા માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાઈ હતી. કોન્ટ્રાકટર પાસેથી બીડ ડોકયુમેન્ટ પેટે ટેન્ડર રકમ રૂપિયા ત્રણ કરોડ મુજબની ગણતરી કરી રુપિયા 17,700 રાખવામા આવી હતી. આ ઉપરાંત ટેન્ડરની રકમ 3.7 કરોડ રૂપિયા મુજબ વાર્ષિક ટર્ન ઓવર 200 ટકા રાખવાની સાથે વૃક્ષારોપણનો ત્રણ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો હતો. ચાર કોન્ટ્રાકટરોની પેનલ તૈયાર કરાઈ હતી. તેમજ 3.7 કરોડ રૂપિયાના ટેન્ડર સામે 69 કરોડના કામ આપવાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી.
આ પણ વાંચોઃ ચાલુ નોકરીએ વધુ અભ્યાસ કરતા વિદ્યાસહાયકના ઉમેદવાર ફસાયા, મેરિટમાંથી માર્ક્સ દૂર કરાશે
વિપક્ષ દ્વારા અધિકારી દ્વારા કૌભાંડને છૂપાવવા પ્રયાસ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. 69 કરોડના કામની વહેંચણી કરવામા આવે તો એક કોન્ટ્રાકટરને અંદાજે 17 કરોડનું કામ મળી શકે. ટર્ન ઓવરની શરત મુજબ, વાર્ષિક રૂપિયા 34 કરોડનું ટર્ન ઓવર હોવું જરૂરી છે. અગાઉ ઝોન દીઠ ટેન્ડર મંગાવાતા હતા. પરંતુ આ વખતે માનીતા કોન્ટ્રાકટરને સાચવવા ટર્ન ઓવરની દ્રષ્ટિએ લાભ મળે એ માટે આ પ્રકારે ગેરરીતી આચરવામા આવી હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે આ બાબતમા નક્કર તપાસ કરાવવા માંગણી કરી છે.
નેવું ટકા સર્વાઇવલ રેશિયો નહીં મળે તો પેનલ્ટી કરાશે
રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું કે, 40 લાખ પૈકી 21 લાખ ખાનગી એજન્સી તથા 14 લાખ પ્લાન્ટેશન વન વિભાગની નર્સરીમાંથી લેવાશે. ચાર એજન્સીને કામગીરી અપાઈ છે જેમાં આનંદ ગાર્ડન નર્સરી, ધરતી નર્સરી એન્ડ ફાર્મ, હરીકૃષ્ણ નર્સરી તેમજ નિલકંઠ લેન્ડસ્કેપનો સમાવેશ થાય છે. પ્લાન્ટેશન પૈકી 90 ટકા સુધી સર્વાઈવલ રેશિયો નહીં લાવનાર એજન્સીને પેનલ્ટી કરવામાં આવશે. ગ્યાસપુર ખાતે 13 થી 15 લાખ વૃક્ષ વાવવામાં આવશે. એજન્સીઓએ બે વર્ષ સુધી વૃક્ષોનો ઉછેર કરવો પડશે.
આ પણ વાંચોઃ અમદાવાદના નારણપુરામાં ગમખ્વાર અકસ્માત, પીકઅપ વાન પાછળ બાઇક ઘૂસી જતાં બે યુવકના મોત
ઝોન મુજબ કયાં કેટલા વૃક્ષ વવાશે
ત્રણ વર્ષમાં 66 કરોડનો ખર્ચ કરાયો