Get The App

કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં, કેરાલા યુનિવર્સિટીના ખોદકામ દરમિયાન મળી સફળતા

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં, કેરાલા યુનિવર્સિટીના ખોદકામ દરમિયાન મળી સફળતા 1 - image
AI Image

Gujarat Lakhapar Harrapan Remains: કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5,300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે. આ સ્થળની ઓળખ સૌપ્રથમ 2022માં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ ઉત્ખલનથી હડપ્પા સંસ્કૃતિના ફેલાવા અને જીવનશૈલી અંગે નવી માહિતી પ્રકાશમાં આવી છે. લાખાપર-ઘડુલી ગામના રસ્તા નજીકના ખેતરમાંથી પ્રાચીન ગામના અવશેષો મળી આવ્યા હતા. જેમાં સિમેટરી એરિયામાંથી 197 બરિયલ મળી આવ્યા છે. હાલ આ સ્થળ પર ખેતર આવેલું છે. આ પુરાતત્ત્વીય અવશેષો લગભગ 3 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે. 

આ પણ વાંચોઃ રાજકોટમાં એર ઇન્ડીયાની ફ્લાઇટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

2019-20 અને 2022માં જૂના ખટીયા ગામ ખાતે કરવામાં આવેલા ખોદકામમાં 197 બરિયલ (કબર) મળ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં પુરાતત્ત્વીય સરવે કરવામાં આવ્યો હતો. જેમાં આ અવશેષો મળી આવ્યા છે. 

મહત્ત્વપૂર્ણ સંદર્ભ

લાખાપર ખાતેની શોધ હવે દફન ટેકરા માટે એક મહત્ત્વપૂર્ણ રહેઠાણ સંદર્ભ પ્રદાન કરે છે, જે શુષ્ક કચ્છ રણમાં ગતિશીલ, એકબીજા સાથે જોડાયેલા સાંસ્કૃતિક લેન્ડસ્કેપ સૂચવે છે. ખોદકામમાં સ્થાનિક રેતીના પથ્થર અને શેલથી બનેલા માળખાકીય અવશેષો, દીવાલો મળી આવી છે, જે સુઆયોજિત બાંધકામ પ્રવૃત્તિઓ દર્શાવે છે.

નોંધનીય છે કે, પ્રારંભિક અને ક્લાસિક હડપ્પા બંને તબક્કામાં માટીકામની હાજરી, જે લગભગ 3300 બીસીઈ સુધીની છે. આ શોધોમાં અત્યંત દુર્લભ વાસણોનો સમાવેશ થાય છે, જે અગાઉ ગુજરાતમાં ફક્ત ત્રણ સ્થળોથી જ મળતા હતા. લાખાપરમાં આ વિશેષ સિરામિક પરંપરાની હાજરી મોટી હડપ્પા સભ્યતાની અંદર એક સાંસ્કૃતિક રૂપે અદ્વિતીય સમૂહ તરફ ઈશારો કરે છે. 

હાડપિંજર મળ્યું

રસપ્રદ વાત એ છે કે, વસાહતની નજીકમાં એક માનવ દફન પણ મળી આવ્યું છે. આ હાડપિંજર ખૂબ જ ખરાબ સ્થિતિમાં સચવાયેલું છે, પરંતુ તેને સીધું એક ખાડામાં દફન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ વાસ્તુકલા અથવા ચિહ્ન જોવા નથી મળતા. 

આ પણ વાંચોઃ BIG NEWS: અમદાવાદમાં ક્રેશ વિમાનના ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ પહોંચવાની શક્યતા

સંશોધકોએ જણાવ્યું કે, 'ખોદકામ દરમિયાન વાસ્તુકલા અને માટીના વાસણો સિવાય કલાકૃતિઓની એક સમૃદ્ધ હારમાળા સામે આવી છે. કાર્નેલિયન, એગેટ, અમેઝોનાઇટ અને સ્ટીટાઇટથી બનેલા પથ્થર, મોતી, શૈલ આભૂષણ, તાંબા અને ટેરાકોટાની વસ્તુઓ મળી આવી છે. આ તમામ વસ્તુઓ સિંધ સાથેના સંબંધોનો સંકેત આપે છે.'

ખોદકામ દરમિયાન ગાય, બકરી માછલીઓના હાડકા અને ખાવા યોગ્ય શંખ-છીપલાના અવશેષોથી જાણ થાય છે કે, અહીં વસનારા પશુપાલન અને જળ સંસાધનો પર નિર્ભર હતા. વનસ્પતિનો ઉપયોગ અને પ્રાચીન આહારને સમજવા માટે પુરાતાત્વિક વનસ્પતિ વિજ્ઞાન વિશ્લેષણ માટે નમૂના લેવામાં આવ્યા છે. 

સંશોધકના જણાવ્યા અનુસાર, જે વાત લાખાપરને અલગ બનાવે છે તે છે ગુજરાતમાં ધનેટી જેવા કોઈ પ્રારંભિક હડપ્પાના દફન સ્થળ મળવા. પરંતુ, તેમની સાથે જોડાયેલી વસાહતોના પૂરાવા હજુ સુધી નથી મળી શક્યા. લાખાપર તે મહત્વપૂર્ણ ખાલી જગ્યાને ભરે છે, જે એક જ સાંસ્કૃતિક સમૂહના જીવંત અને મૃત બંનેની દુર્લભ ઝલક આપે છે.

Tags :