Gujarat

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ખાંભામાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં

Amreli News : રાજ્યમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ખાંભામાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

ખાંભામાં 30 વર્ષીય યુવકની હત્યા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામમાં 30 વર્ષીય યુવકની થયેલી નિર્મમ હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. બનાવની વિગત એવી છે કે, નવા માલકનેસ ગામના વતની મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને શરીર પર 10 જેટલા જીવલેણ ઘા ઝીંક્યા હતા. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

ત્રણ આરોપી ઝડપાયા

સમગ્ર બનાવ અંગે જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સનસનીખેજ હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલી પોલીસ હત્યારાઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા

પોલીસે જુદી-જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરતા, ગણતરીની કલાકોમાં જ હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.