Gujarat

જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં

By GS TEAM
16 Nov 20251 min read
TukuTouch Logo
જૂનાગઢમાં રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જેમાં માંગરોળમાં શ્વાને 10થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. આ સાથે શ્વાને 20 જેટલાં પશુઓને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાને હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં
પ્રતિકાત્મક તસવીર

Junagadh News : જૂનાગઢમાં રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જેમાં માંગરોળમાં શ્વાને 10થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. આ સાથે શ્વાને 20 જેટલાં પશુઓને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાને હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

માંગરોળમાં રખડતાં શ્વાને 10 લોકો પર કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, જૂનાગઢના માંગરોળના ભાટ ગામમા રસ્તે રખડતાં શ્વાને 10થી વધુ લોકો પર હુમલા કર્યો હોવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેમાં શ્વાને મોટાભાગે વૃદ્ધા લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ધ્રોલના ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંના મૃત્યુઃ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિક તારણ

શ્વાનના હુમલાના બનાવમાં લોકોને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પર શ્વાને હુમલો કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.