ઝુબિન ગર્ગના મૃત્યુ કેસમાં નવો વળાંક, CIDએ 8 NRIને સમન્સ પાઠવ્યા, ફક્ત એક હાજર રહ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Zubeen Garg Death Mystery: જાણીતા સિંગર ઝુબિન ગર્ગના મૃત્યુ અંગેની તપાસ હજી ચાલી રહી છે. CIDએ સિંગાપોરમાં રહેનાર 8 NRI ને સમન્સ પાઠવ્યું છે જેમાં એક વ્યક્તિ જ CID સામે હાજર થયો હતો. NRI રૂપકમલ કલિતા ગુવાહાટી પહોંચ્યો અને CID સામે હાજર થયો હતો. CIDએ રૂપકમલને સિંગરના મોતના મામલે પૂછપરછ કરી હતી પણ અન્ય સાત લોકો સામે મોકલવામાં આવેલા સમન્સનો જવાબ ન મળતા ઝુબિનના મૃત્યુ અંગે રહસ્ય અકબંધ છે. જણાવી દઈએ કે NRI રૂપકમલ કલિતા મૂળ આસામનો જ રહેવાસી છે.
આઠ લોકોને મોકલવામાં આવી હતી નોટિસ
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ ભારતીય હાઈ કમિશન મારફતે સિંગાપોરમાં રહેતા આઠ NRI ને 6 ઓક્ટોબર સુધીમાં તેમને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. તમામ આઠ NRI ને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમાંથી ફક્ત એક જ NRI એ જવાબ આપ્યો છે. અન્ય સાત NRIએ આ અંગે જવાબ ન આપતા ઝુબિનના મૃત્યુ અંગેની શંકા વધી ગઈ છે.
સિંગાપોરમાં થયું હતું સિંગરનું મોત
નોંધનીય છે કે 52 વર્ષીય ગાયિકા ઝુબિન ગર્ગનું ગયા મહિને સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે મૃત્યુ થયું હતું. આ દરમિયાન ઝુબિન સિંગાપોરમાં આયોજિત ત્રણ દિવસના નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા સિંગાપોર ગયો હતો. જો તેના નિધન બાદ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
ઝુબિનના મેનેજરની ધરપકડ
ઘટનાની તપાસ દરમિયાન, ઝુબિન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંતની ગેરમાર્ગે દોરાયેલા હત્યા, ગુનાહિત કાવતરું અને બેદરકારીથી મૃત્યુના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
ઝુબિન ગર્ગના હત્યા કેસમાં નવો વળાંક
નોંધનીય છે કે, આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગર્ગના બેન્ડમેટ, શેખર જ્યોતિ ગોસ્વામીએ આરોપ લગાવ્યો કે તેમના મેનેજર અને ફેસ્ટિવલના આયોજકે તેમને ઝેર આપ્યું હશે અને તેમના મૃત્યુને અકસ્માત ગણાવીને છુપાવવાનું કાવતરું ઘડ્યું હશે. CID આ કેસની તપાસ કરી રહી છે.









