Get The App

અયોધ્યા બાદ હવે ટેલીવિઝન પર આવી રહ્યા છે 'રામ', જાણો ક્યારે શરૂ થશે રામાનંદ સાગરની 'રામાયણ'

અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા ફેમ રામાયણનું ફરી ટીવી પર પ્રસારણ

રામાનંદ સાગરની રામાયણ છે ખૂબ ફેમસ

Updated: Jan 30th, 2024

GS TEAM

Google News
Google News
અયોધ્યા બાદ હવે ટેલીવિઝન પર આવી રહ્યા છે 'રામ', જાણો ક્યારે શરૂ થશે રામાનંદ સાગરની 'રામાયણ' 1 - image

Ramanand Sagar Ramayan: રામાનંદ સાગરની રામાયણ વર્ષો જૂની હોવા છતાં પણ લોકોની પ્રિય છે. આ શોને ફરીથી ટેલિકાસ્ટ કરવાની ઘણી માંગ છે. આ દરમિયાન ચાહકો માટે એક સારા સમાચાર છે. રામાનંદ સાગરની રામાયણ ફરી પ્રસારિત થશે. તે ક્યારે અને કયા પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ થશે તે જાણો. 

રામાયણનું ફરી ટીવી પર ટેલિકાસ્ટ 

1987 માં શરૂ થયેલો આ શો થોડા જ સમયમાં ફેમસ થઈ ગયો હતો. આ પછી રામાયણ અને મહાભારતની થીમ પર ઘણા ટીવી શો બન્યા. પરંતુ રામાનંદ સાગરની 'રામાયણ' સાથે કોઈ સ્પર્ધા કરી શક્યું નહીં. આ શોને ફરીથી જોવા માટે દર્શકોએ ભારે ઉત્સુકતા દર્શાવી છે. જે બાબતે સારા સમાચાર આવ્યા છે. રામાયણ ફરી એકવાર ટેલિવિઝન પર જોવા મળશે. 

દૂરદર્શને આપી જાણકારી

રામાયણના ફરી ટીવી પરના ટેલિકાસ્ટની જાણકારી દૂરદર્શને પોતાના ટ્વિટર પર શેર કરી હતી. જેમાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા... ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો 'રામાયણ' આવી રહ્યો છે, તેને ટૂંક સમયમાં DD National પર જુઓ.'

ચાહકોના ઉત્સાહના કારણે લીધો નિર્ણય

આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકોએ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે એવી માંગ પણ કરવામાં આવી હતી કે મહાભારત શો પણ ફરીથી શરૂ કરવામાં આવે. રામાયણમાં અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને ફરી એકવાર ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકામાં જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

અયોધ્યા બાદ હવે ટેલીવિઝન પર આવી રહ્યા છે 'રામ', જાણો ક્યારે શરૂ થશે રામાનંદ સાગરની 'રામાયણ' 2 - image