સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિ પર શત્રુઘ્ન સિન્હાનો ભાવુક સંદેશો, કહ્યું- ગોડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી
Shatrughn Sinha: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટ પર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પાંચ વર્ષ બાદ પણ તેનું નિધન ફેન્સ માટે એક રહસ્ય છે. હવે એક્ટર અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાએ સુશાંત વિશે પોતાની વાત મૂકી છે. એક્ટરે જણાવ્યું કે, સુશાંતનું મૃત્યું મોટી દુર્ઘટના હતી અને એ દુઃખને ઓછું ન કરી શકાય. આ સાથે જ તેમણે સુશાંતની બાયોપિક વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચોઃ આમિર ખાનની સુપર હીટ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થઈ, અભિનેતાએ જણાવ્યું કારણ
શું કહ્યું શત્રુઘ્ન સિન્હાએ?
શત્રુઘ્ન સિન્હાએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, દેશ હજુ સુધી સુશાંતના મૃત્યુથી ઉભરી નથી શક્યો. અમુક ઘટનાઓ એવી હોય છે કે, જેનું દુઃખ સમયની સાથે ઓછું નથી થતું. સુશાંત માટે લોકોનો પ્રેમ જ છે, જેના કારણે તેનું મૃત્યુ હજું સુધી એક રહસ્ય બનેલું છે.'
આ પણ વાંચોઃ ફિલ્મજગતની જાણીતી અભિનેત્રીઓ જે વિવાહિત વ્યક્તિઓના પ્રેમમાં પડી, લવ-લાઈફ ચર્ચામાં રહી
બાયોપિકની જરૂર નથી
સુશાંતની મોત પર વાત કરતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, 'લોકો પોતાના પ્રિયજનોની મોતને રહસ્યમયી માને છે. ખાસ કરીને જ્યારે તેઓ નાની ઉંમરમાં મોતને ભેટે. જેમ કે, ગુરૂ દત્ત, મીના કુમારી અને સૌની મનપસંદ શ્રીદેવી. સુશાંતનું જવું કોઈ ક્ષેત્રીય દુર્ઘટના નથી પરંતુ એક રાષ્ટ્રીય દુર્ઘટના છે. જોકે, હું કોઈ ગૉડફાધર વિના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટેના સંઘર્ષથી સંમત છું. જ્યારે હું મુંબઈ આવ્યો, તો મારી પાસે કોઈ સંપર્ક નહતો અને મને નહતી ખબર કે, આગળ કેવી રીતે વધવું. મારા ખિસ્સામાં બસ અમુક સો રૂપિયા હતા અમે જોશ અનંત હતો. હું સુશાંતમાં પણ એ જ જોશ જોઉ છું. તેણે જે ફિલ્મો કરી તે આપણા માટે વારસો છે જેને અવગણવું મુશ્કેલ છે. સુશાંત સિંહ રાજપૂત પર બાયોપિકની જરૂર નથી.'